________________
(૦૬
એકાદ મ‘ત્રાસરમાં પણ જેમ અપાર શક્તિ ભરી હોય છે તેમ આપે પ્રરૂપેલી આ જ્ઞાન, દર્શન અને ચારિત્રની રત્નત્રયીમાં ક્રમના નાશ કરીને આત્માને શુદ્ધ બનાવવાની અનત શક્તિ ભરી છે. પારસમણિના સ્પર્શે લેાતુ પણ જેમ સુવણ બની જાય છે, તેમ આ રત્નત્રયીના સ્પર્શે આત્માનાં ક્રરૂપી આવરણા દૂર થઇને આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશવા લાગે છે. પ્રભુ ! કાઈ ગાગરમાં સાગર સમાવી ? તેમ આ જ્ઞાન, દર્શન, ચારિત્રની રત્નત્રયીમાં આપે અનંત આત્મસમૃદ્ધિને ભરી દીધી છે. પ્રભુ ! એ આત્મસમૃદ્ધિના લાભ મારા આત્માને મળજો. સ્વામી! આ દેહનું મૂળ નાભિ છે, તેમ ધર્મનું મૂળ આ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયી છે. એ રત્નત્રયીમૂલક ધર્મ જ આત્માના નિસ્તાર કરી શકે છે. પ્રભુ ! ધર્મના મૂલસમી એ રત્નત્રયીના લાભ મેળવવા માટે હું આપની નાભિની ભક્તિભર્યો ચિત્તે પૂજા કરૂ છુ', પ્રભુ ! આપની પૂજાથી મારા અજ્ઞાનના નાશ થો, મારાં દુઃખા નાશ પામજો અને મને અનત જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધનાના માર્ગ સાંપડજો.
ઉપદેશક નવ તત્ત્વના, તિણે નવ અંગ જિષ્ણુ દુ; પૂજો બહુવિધ ભાવશું, કહે શુભ વીર સુણીંદ. ૧૦ હે તરણતારણ દેવ !
ધન્ય છે તે પુણ્યાત્માઓને કે જેમણે સમવસરણમાં એસી આપના મુખેથી દેશના સાંભળી છે અને આપનુ