________________
રત્નત્રયી ગુણ ઉજળી, સકળ મુગુણ વિશ્રામ; નાભિકમલની પૂજના, કરતાં અવિચળ ધામ, ૯
હે મંગલમય પરમાત્માનું !
અનાદિ કાળથી આત્મભાન ભૂલેલે આ આત્મા પુદુગલને સંગી બની પરમાવમાં રાવ્યા કરે છે. એણે પિતાનું સ્વરૂપ વિસારી મૂકયું છે. અજ્ઞાનનાં આવરણે એ એના જ્ઞાનભાતુને ઢાંકી દીધું છે, સંશય અને સંદેહની કાલિમાએ એને શ્રદ્ધાગુણને આવરી લીધું છે અને સંસારમાં નિરંતર ભોગવવાં પડતાં સુખદુખનાં ઘેરા વાદળાંએ એના નિજાનંદનું તેજ હણ દીધું છે. પ્રભુ ! આ બધી અનાદિકાળથી વળગેલાં કર્મની રચના છે. એ જડ કમને વશ બનેલો આ આત્મા પિતાના ચેતનભાવને વિસરીને ગર્ભાવાસ, જન્મ અને મરણની કારમી વેદનાઓ સદાકાળ સહ્યા કરે છે. પ્રભુ! જેમ મદઘેલ ગજરાજ મલિન કાદવમાં આળોટે છે, તેમ આ ભાન ભૂલ્યા આમા પિતાનું શુદ્ધ સ્વરૂપ ભૂલીને કર્મના કાદવમાં સદાકાળ રાવ્યા કરે છે. પરમાત્મન્ ! એ મલીન કમકીચડમાંથી મારા આત્માને નિસ્તાર કરે. સ્વામી ! કરુણાના સાગર એવા આપે જગતને કલ્યાણને માર્ગ ઉપદે છે. આત્મસિદ્ધિથી વિમુખ બનેલા સંસારને આપે અનંત આત્મલક્ષ્મીનું દર્શન કરાવ્યું છે. એ આત્મલક્ષમીએ અનેક આત્માઓને સમૃદ્ધ બનાવી તેમને ઉદ્ધાર કર્યો છે. નાથ! મારા કમંદારિદ્રયને નાશ કરીને મને એ આત્મ