________________
અને એટલું જ શા માટે? મૂઢ અને જડ ગણાતા પશુપંખીઓ પણ જાણે પિતાના પશુભાવને ભૂલીને આત્મભાવને પિછાનવા મથતા હોય તેમ આપના સમવસરણમાં આવી બેસે છે. પ્રભુ! આપની દેશનાના ઇવનિને આ પ્રભાવ એ સંસારને માટે કરૂણારસભર્યા આપના હૃદયના પ્રતિબિંબ સમે છે. એ ઇવનિમાં મનુષ્ય, દેવ અને પશુ સૌ જાણે પિતાના આપ્તજનની મધુરી વાણી સાંભળતા હોય તેમ આપના ચરણ આગળ આવી સમતારસમાં ઝીલતા બેસે છે. પ્રભુ! આપની એ મહામહિમાભરી વાણુને હું વંદન કરૂં છું. દેવ! પડતા કાળના પ્રભાવે આપના કંઠમાંથી સાક્ષાત્ નીકળતા એ મધુર અવનિ સાંભળવા અમારા નસીબમાં નથી, આજે આપની એ પવિત્ર દેશના અમ ભારતવાસીઓને અલભ્ય છે. છતાં પ્રભુ! અમારે ધમમાગ સર્વથા પ્રકાશહીન નથી થયો. આપના કંઠમાંથી નીકળેલા એ દેશનાના ધ્વનિને શ્રી ગણધર ભગવતેએ ગ્રંથરૂપે ગુંથીને અમર બનાવે છે. આપની દેશનાના સારભર્યા અને ગણધર ભગવતેએ ગૂંથેલા એ આગમ ગ્રંથો અમ પંચમકાળમાં વસતા માનવીઓનું મહામૂલું ધન છે. પ્રભુ ! આપ જેવા જિનવર દેવના અભાવમાં જિનવરદેવે ઉપદેશેલી વાણી સંસારને સાધનાને માગ બતાવે છે. આપની દેશનાથી ભરેલા એ આગમોની આરધનાએ અનેક આત્માઓના આમદર્શનના માર્ગને ઉજજવળ બનાવ્યા છે. પ્રભુ ! સંસારના સમસ્ત પ્રાણુઓના કલ્યાણ માટે કરુણાભર્યા ઉપદેશને ધધ વહેતે મુકનાર આપના એ કંઠની હું ભાવભર્યા હૃદયે પૂજા કરું છું. નાથ! આપના