________________
૫
નાશ થાય, અપૂર્વ વીથ ઉલ્લાસના આનંદને મારા આત્મામાં સંચાર થાય અને હું આ ભયંકર સંસાર સમુદ્રને તરવા શક્તિવાળી બનું એ માટે પ્રભુ! અનંત બળવાળી એવી આપની ભુજાઓની હું ભાવપૂર્વક પૂજા કરું છું. નાથ આપે અનેક નિબળમાં બળને સંચાર કર્યો છે, પ્રભુ! આપ જેવા મહાવીર્યમાનની પૂજાથી મુજ નિર્બળમાં એ આત્મશક્તિનો સંચાર થજે.
સિદ્ધશિલા ગુણ ઊજળી, લેકાંતે ભગવંત; વસીયા તેણે કારણું પ્રભુ, શિરશિખા પૂત, ૫
હે ત્રણ લેકના નાથ !
કમને આધીન થઈ અનાદિકાળથી ભમ્યા કરતે આ જવ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીના ભાવોમાં ઊંચ નીચ દશાને પામ્યા જ કરે છે. કદીક સ્વર્ગલોકનાં અપાર વૈભવ વિલાસ અને આનંદો એણે માણ્યા છે, તે કદીક નરકગતિમાં અસહ્ય અનંત વેદનાઓ વચ્ચે એને આથડવું પડ્યું છે. કદીક મનુષ્યલેકમાં કઈ રાજા મહારાજાને વેશ ધારણ કરીને સત્તાની મદિરાનું પાન કરીને એ મદમત્ત બન્યા છે, તે કદીક દીન, હીન અને દુખી બની રાંકડું જીવન જીવે છે. વળી કદીક પશુ જીવનની નાની મોટી અનેક આફતે એના માથે આવી પડી છે. આમ આ જીવ ચારે ગતિમાં જુદા જુદા વેશ ધારણ કરીને સ્વર્ગ, મૃત્યુ અને પાતાળરૂપ ત્રણ લેકની રંગભૂમિ ઉપર સદાય નાચ્યા જ કરે છે. કોઈ