________________
સ્થળે એને શાન્તિ વળતી નથી, કોઈ જગ્યાએ એને સ્થિરતા મળતી નથી અને કોઈ સ્થાને એને આમભાવ લાધતે નથી, કે જ્યાં એ સુખપૂર્વક પિતાનું સ્થળ માની વસી શકે. મહાસાગરના ભયંકર ઝંઝાવાતમાં સપડાયેલ જહાજની જેમ આ જીવ હંમેશાં ચારેકોર અથડાયા જ કરે છે. પ્રભુ ! દુનિયાની આ સદાય અસ્થિર સ્થિતિથી આપ ત્રાસી ઉઠયા. જ્યાં આત્મા સદાકાળ આનંદમગ્ન થઈને રહી શકે, જ્યાં આત્માને નિજાનંદમાંથી હાંકી કાઢનાર કેઈ ન હેય, જયાં આત્મભાવ સિવાય બીજી કઈ વસ્તુ સ્પર્શી શકે નહિ, એવા સ્થળની શોધ કરવી આપને જરૂરી લાગી; એવું સ્થળ મળે તે જ આત્માને શાંતિ વળે. એ આપે જોયું અને એ સ્થળની શોધ માટે આપ સંસારનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. પ્રભુ ! એ શોધ માટે ચાલી નીકળતાં આપનું એકએક પગલે પગલું જાણે દઢ નિશ્ચયની હેર મારતું હતું, પ્રભુ! એ શોધ કરવામાં સ્વર્ગની અપ્સરાઓ, વર્ગના અપાર વૈભવ વિલાસ અને સ્વર્ગની સુંવાળી સુખ સામગ્રીઓ આપને ન લલચાવી શકી, આપનો નિશ્ચય અફર હતું અને દેવ ! આપે આપને એ નિશ્ચય પાર પાડ, તપ, ત્યાગ અને સંયમની એરણ ઉપર આત્માને ઘાટ ઘડીને આપે એ ચારે ગતિના તાપને શાંત કરે એવી પંચમ ગતિની શોધ પૂરી કરી. એ શોધે ત્રણે લેકમાં અથડાતા આત્માની અસ્થિરતાને અંત આણ્ય, નાથ ! આજની વંચમ ગતિન-મેક્ષની છે આત્માને સ્થિરતા મેળવી આપી, સ્વામી ! એ પરમપદ પામીને આત્મા