________________
અને ઈચ્છા શાંત થજે, અને મારા હૃદયમાં આત્મઋદ્ધિની અભિલાષા જાગૃત થજે. સ્વામી ! આપે દુનિયાનું દારિદ્રય દૂર કર્યું છે, મારું આત્મિક દારિદ્રય દૂર કરવા માટે હું આપના કાંડાની ભાવભર્યા ચિત્ત પૂજા કરું છું. નાથ ! મને એ આત્મલક્ષ્મીનું દાન કરી મારે વિસ્તાર કરજે. માન ગયું દોય અંસથી, દેખી વીર્ય અનંત; ભુજાબેલે ભવજલ તર્યા, પૂજે ખંધ મહંત ૪
હે અનંતશક્તિ પ્રભુ!
આ આત્મા સ્વભાવે અનંતશક્તિને ધણી આપે ઉપદે છે અનાદિ કાળથી લાગેલાં કર્મનાં આવરણએ આત્માની એ અનંતશક્તિને ઢાંકી દીધી છે. અને કોઈ મહાવિકરાળ કેસરીના પંજામાં સપડાયેલ મૃગલાની જેમ અનાદિ કાળથી કર્મના પાશમાં પકડાએલે આ આત્મા સાવ રંક બની ગયે છે. પ્રભુ! એ રંક બનેલ આત્માની સતામણીને કશે પાર નથી રહ્યો. જાણે એનામાં કશીય શક્તિ ન હોય, એ જાણે સાવ હીનસવ હોય એવી એની સ્થિતિ થઈ ગઈ છે. કેધ માન, માયા, લેભ, રાગ, દ્વેષ વગેરે કષાયોના રાત દિવસ એ આત્માને ઉપદ્રવ કરી અધપાત આપનારા એવા પણ આદેશે સદાય માથે ચડાવ્યા જ કરે છે. સ્વામી ! કઈ મહાવેરીને પડકાર કરતા હે એમ આપે એ કર્મરાજને પડકાર આપે. એ કર્મરાજના શાસનના જાણે ખંડખંડ ટુકડા કરી નાખવા ન હોય એ રીતે આત્મશક્તિને શોધવા