________________
મારી સ્વાર્થી વાસનાઓ નાશ પામો, મારી આત્મશક્તિઓ જાગૃત થાઓ અને પરમાર્થને માર્ગ સુલભ થાઓ !
દેવ! સાંસારિક સ્વાર્થને નાશ કરીને પરમાર્થ સિદ્ધિ મેળવવા માટે હું આપના જાતુઓની ભાવપૂર્વક પૂજા કરું છું.
લોકાંતિક વચને કરી, વરસ્યા વષીદાન; કર કાંડે પ્રભુ પૂજના, કરતા ભવિ બહુમાન. ૩
હે નિર્મોહીનાથ ! લેકાંતિક દેવતાઓએ આપને જ્યારે વિનંતિ કરી કે-“પ્રભુ! આ દુખિયા સંસારનાં ઉદ્ધાર માટે, આપ આપની આત્મસિદ્ધિ પ્રગટ કરીને, તીર્થનું પ્રવર્તન કરે, પ્રાણીઓને તરવાને ઉપાય બતાવો.” ત્યારે જાણે જુગ જુગ જૂના મોહનાં આવરણને ક્ષણમાત્રમાં તેડી દીધાં હેય, તેમ આપે વાર્ષિક દાન આપવાને નિર્ણય કર્યો. નાથ! જે સંપત્તિ માટે અમે સાંસારિક જીવો અનેક પ્રકારની મુશીબતે ઉઠાવીએ છીએ, જેને અમે અમારા પ્રાણથી પણ પ્યારી ગણીએ છીએ, જેને માટે અનેક પ્રકારનાં દુર્યાન કરીએ છીએ, અને જેને અમારા જીવનનું સર્વસ્વ માની એની પાછળ મેહાંધ થઈ ભમીએ છીએ, એ સંપત્તિના
ઘના ઓઘ આપના ચરણ આગળ ઉભરાતા હતા, છતાં આપને મન એની કશી કિંમત ન હતી. એ સંપત્તિનું વિનાશીપણું આપ જાણતા હતા. આપે એ સંપત્તિને હસતે વદને તજીને આત્મલક્ષમી માટે ભેખ ધારણ કર્યો હતો. અને પ્રભુ ! આપનું એ વાષિક દાન જાણે આત્મલક્ષમીની