________________
નિઃસ્વાર્થી નિર્ધામક છે. નાથ ! આપની એ નિઃસ્વાર્થ પરોપકારપરાયણતાને મારા લાખ લાખ વાર વંદન હજો ! હે પરમાત્મન ! અનાદિ કાળથી મારો આ જીવ આ સંસારના જન્મમરણના ફેરામાં ભટક છે. એણે નાની મોટી અનેક કરણો આદરી છે. પણ નિઃસ્વાર્થ પરાયણતાને માર્ગ એણે કદી પિછાન્ય નથી. સદાય સ્વાર્થ સ્વાર્થ અને સ્વાર્થ માં જ એ રત રહ્યો છે, અને આવી સ્વાર્થ પરાયણતાના ભારથી એ હંમેશાં સંસારસાગરમાં ઊંડે ને ઊંડે ઉતરતે ગયે છે. પ્રભુ! એ સ્વાર્થના નથી ગણી રાત કે નથી ગ દિવસ, નથી જાણી ટાઢ કે નથી જાણ તડકે, નથી પિછાણે ભૂખ કે નથી પિછાણું તરસ. એક મૂઢ પશુની જેમ સર્વ સાન ભાન વિસરીને હું એ સ્વાર્થની પાછળ ભમ્યા કર્યો છું. પ્રભુ ! મારી સર્વ શક્તિઓ જાણે મારા સંસારના સ્વાર્થ માટે જ ન હોય એમ એ શક્તિઓથી મેં કોઈને પરમાર્થ સાથે નથી. અને સ્વાર્થ પરાયણતાના અવિવેકમાં હું પરમાર્થની સાથે સાથે મારા આત્માને પણ સાવ વિસરી ગયો છું. નાથ ! સ્વાર્થમાં આસક્ત એવી મારી સર્વ આત્મશક્તિઓ જાણે લુપ્ત થઈ ગઈ હોય, એમ આત્મસાધનાથી હું વિમુખ બની ગયો છું. સ્વામિન્ ! આપ અનંત શક્તિના ધણી છો. સમસ્ત સંસારના કલ્યાણ માટે આપે એ અનંત શક્તિની પુનીત ગંગાને વહેતી મૂકી છે. સંસારના ઉપકાર માટે આપે જાનુઓના બળે ઉગ્ર વિહાર કર્યા છે. નિઃસ્વાર્થ ભાવે વિશ્વકલ્યાણ એ જ આપનો માર્ગ છે. પ્રભુ! નિઃસ્વાર્થ પણે ઉપકારી એવી આપની ઉપાસનાથી