________________
પામી પરમપદને વર્યા છે. દેવના દેવ-ઈ, નરેન્દ્ર અને યેગી દ્રએ આપના ચરણેથી પવિત્ર થયેલ રજને મસ્તકે ચડાવી છે. આપના ચરણની પવિત્ર રેણુએ કંઈક પાપીઓની પાપવાસનાઓ ઉપર સૌરભ પાથરી છે. જ્યાં જ્યાં આપના ચરણેએ વિહાર કર્યો છે, ત્યાં ત્યાં સુખ અને માંગલ્યના
ઘ ઉભરાયા છે. પ્રભુ! આપના એ પરમ પાવન ચરણે આ ભયંકર ભવાટવિમાં મારું શરણું હો! હે વિધવત્સલ વિભુ! આપના પગલે પગલે સનેહની સરિતા ઉભરાઈ છે અને એ સ્નેહની સરિતાએ સંસારમાં ભભૂકતે હૈષ અને વૈરના દાવાનલ ઉપર સદાય અમીછાંટણા કર્યા છે. પ્રભુ ! આપના સમવસરણની રચના સૌને મંત્રમુગ્ધ કરી દે એવી છે. ન ઠેષ, ન વેર ! જાણે સૌ છે દેહભાવ ભૂલીને આત્મભાવમાં લીન થયા હોય એમ સમતારસમાં ઝીલતાં આપના ચરણે આવી વસે છે. સિંહ ને ગાય જાણે માડીજાયા ભાઈબહેન ન હોય; વ્યાવ્ર અને હરણ જાણે ભાઈ ભાઈ ન હેય; માર અને સર્પ જાણે એક કુળના ન હોય; એમ જન્મથી વૈરભાવ ભરેલા પ્રાણીઓ આપના ચરણે આવી શાંત થઈ જાય છે. આપના ચરણની આગળ બેસવાને રાય અને રંક, દેવ દેવેન્દ્ર અને ચક્રવર્તી, પાપી કે પુણ્યાત્મા સૌને એક સરખો અધિકાર છે. પ્રભુ! આપનાં એ પરમ સ્નેહ વર્ષાવતાં ચરણો, દુઃખ અને ઈર્ષાથી ભરેલા આ સંસારમાં મારો આધાર હજો. પ્રભુ! લેભ અને લાલચમાં અંધ બનેલા મેં મારું આત્મભાન ભૂલીને કંઈક પાપી અને નીચ માન વીઓનાં ચરણ ચૂમ્યાં છે. સાધુ, સંત અને મહંતેની સેવા