________________
દિવ્ય ભક્તિથી પ્રભુના નામનું સ્મરણ થવું જોઈએ. તેમ થાય તે સકલ મને રથની સિદ્ધિ માટે તે કામધેનુ, કલ્પદ્રુમ, ચિંતામણિ રત્ન અને કામઘટ કરતાં પણ અધિક પ્રભાવશાળી બની જાય છે.
જેમાં ભગવાનના ગુણગર્ભિત એકહજારથી પણ વિશેષ નામ આવે એવા મહાપ્રભાવશાળી તેત્રો ભક્તહદય પૂર્વના મહાપુરુષોએ રચ્યાં છે. તે સ્તોત્રો આજે પણ જોવા મળે છે. અનેક ઉત્તમ રુચિવાળા હળક ભવ્યાત્માઓ તેના મરણ દ્વારા પરમાત્માને પિતાના હૃદયમાં સ્થિર કરવા તે નામોને આજે નિત્ય પાઠ પણ કરે છે. એક
પ્રભુ સહજાનંદ સ્વરૂપે એકરૂપ હોવા છતાં પ્રભુના ગુણગર્ભિત ભિન્ન ભિન્ન નામ દ્વારા પ્રભુની અનેક વિશેષતાઓ આપણા ખ્યાલમાં આવે છે. કારણ કે દરેક વિભિન્ન નામમાં કંઈ ને કંઈ વિશેષતા હોય જ છે. જગતમાં છ ભિન્ન ભિન્ન રુચિવાળા હોય છે. તેમાં ભગવાનના વિવિધ નામ
સ્મરણથી પણ ઘણા જીને ભાવવૃદ્ધિ થવી સહજ છે. તેથી મહાપુરૂષ રચિત અલગ અલગ તેત્રોમાંથી થોડાંક નામો ચુંટીને અહીં તેને સરળ ભાષામાં રજુ કરવામાં આવ્યા છે. તેટલા નામને પણ નિત્યનો પાઠ લાભકારી છે.
* શ્રી જિન સહસ્ત્ર નામ જેવાની ભાવનાવાળાએ જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી પ્રકાશિત “શ્રી નમસ્કાર સ્વાધ્યાય” નામનો ગ્રંથ જો.