________________
રહ્યો છે, બળી રહ્યો છે, સળગી રહ્યો છે, ધમધમી રહ્યો છે. આ વિષય-કષાયના ત્રિવિધ તાપથી સંતપ્ત બનેલા આત્માને શીતળતા ઉપજાવવા માટે અનુભવીઓએ પ્રભુની ચંદનપૂજા ફરમાવી છે.
જેમ ચંદનમાં રહેલી શીતળતા બાહ્ય તાપને નાશ કરે છે તેમ શ્રી જિનેશ્વરદેવની ચંદનપૂજાને પરિણામ આંતર તાપનો નાશ કરે છે.
(૩) પુષ્પપૂજાને હેતુ અને તેનું ફળ
મિથ્યાત્વ અને અનેક દુર્ણ રૂપી દુર્ગધથી આ આત્મા અનાદિ કાળથી દુધમય બની ગયા છે. પ્રભુની પુષ્પપૂજાના ભાવથી એ દુગધ દૂર થાય છે. અને આત્મા સુગંધી બને છે. ચિત્તમાં આહ્લાદ થાય છે અને મન પ્રસન્નતાને અનુભવ કરે છે.
જેમ પુપમાં દ્રવ્યથી સુગધી રહેલી છે તેમ શ્રી જિનેશ્વરદેવના પુપપૂજનથી આત્મામાં ભાવથી સુગંધ પ્રગટે છે. આત્મા અનેક સદગુણોનું ધામ બને છે.
(૪) ધૂપપૂજાને હેતુ અને તેનું ફળ
આઠ કર્મના અત્યંત ભારથી દબાયેલ આત્મા જેના ઉપર અત્યંત ભાર ભરવામાં આવ્યો છે એવા પશુની જેમ નીચું મુખ રાખી અનંતકાળથી અહીંથી તહીં ભમી ભમીને દુઃખી દુઃખી થઈ રહ્યો છે. તેને જરાય વિસામે