________________
જેવાં જ છે. છતાં આ આત્મા રંકની જેમ એ દુઃખદાયી ફળને જ અજ્ઞાનતાથી માંગી રહ્યો છે. જ્ઞાની ભગવંતે આપણને સાચા મોક્ષસુખની ઓળખાણ કરાવે છે અને એ માટે પ્રભુની ફળપૂજા કરવાને ઉપદેશ આપે છે.
ઉત્તમ, તાજા અને મધુર રસવાળાં ફળ વડે શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાથી સર્વોત્તમ અભિનવ અને શાશ્વત એવું મિક્ષસુખ મળે છે.
આ અષ્ટ પ્રકારી પૂજાથી સર્વ ઉપસર્ગો નાશ પામે છે, વિદનને સમુદાય વિલયને પામે છે અને મન પ્રસન્નતાવાળું બને છે.
વળી આ અષ્ટપ્રકારી પૂજાના એક એક પ્રકારમાં એક એક અણિમાદિ સિદ્ધિ છૂપાયેલી છે. અર્થાત અષ્ટપ્રકારી પૂજાથી અણિમાદિ આઠ સિદ્ધિઓ પ્રગટે છે.
શ્રી જિનેશ્વર ભગવાનનું દર્શન પાપનો નાશ કરે છે, શ્રી જિનેશ્વરનું વંદન અવશ્ય વાંછિતને આપનારું થાય છે, અને તેમનું પૂજન બાહ્ય-અત્યંતર ઉભય પ્રકારની લક્ષ્મીને પૂરનાર બને છે, ખરેખર! શ્રી જિનેશ્વરદેવ એ સાક્ષાત્ કલ્પદ્રુમ-કલ્પવૃક્ષ છે.
આ અષ્ટપ્રકારી પૂજાના અધિકારમાં શાસ્ત્રોમાં ફરમાવેલા નીચેના દષ્ટાંતે ખાસ વિચારવા ગ્ય છે. જેમકે