________________
એ કારણે તીર્થકરોનું દર્શન-પૂજન-મરણ વગેર એ પરમનિધાન છે. અમૃતને કુંપે છે. જનમન-મેહનવેલ છે. રાત-દિવસ સંભારવા લાયક છે. ઘડી પણ ન વિસરવા લાયક છે. તીર્થકરાની ભક્તિ, નામ સ્મરણ વગેરે આળસમાં મળેલી ગંગા છે. મયુરને મન જેમ મેઘ, અને ચકોરને મન જેમ ચંદ્ર, ભ્રમરને મન જેમ કમલ, અને: કોકિલને મન જેમ આમ્ર, જ્ઞાનીને મન જેમ સંયમધારણ, દાનીને મન જેમ ત્યાગ અને ન્યાયીને મન જેમ ન્યાય, સીતાને મન જેમ રામ અને પંથીને મન જેમ ધામ, તેમ તત્ત્વગુણરશ્ચિક જીવને મન તીર્થંકરનું નામ આનંદ આપનારું છે. તીર્થકરના નામને જ૫નારને નવ નિધાન ઘેર છે, કદવેલી આંગણે છે. આઠ મહાસિદ્ધિ ઘટમાં છે. એમની ભક્તિથી કઈ પણ જાતના કાયાના કષ્ટ વિના જ ભવજલ તરાય છે. તીર્થકરોના લોકો નર નામકીર્તનરૂપી અમૃતપાનથી મિથ્યામતિરૂપી વિષ તત્કાલ નાશ પામે છે. તથા અજરામર પદની પ્રાપ્તિ હસ્તામલકવત્ બની જાય છે.
એ રીતે ભાવના કરવાથી તથા વિચારવાથી જીવનનાં ઘણાં અશુભ અને કિલષ્ટ કર્મો નાશ પામે છે. બધિ (સમ્યક્ત્વ) જ્ઞપ્તિ (જ્ઞાન) અને વિરતિ (ચારિત્ર) પ્રાપ્ત થાય છે. પરંપરા એ મેક્ષના અનંત સુખના અધિકારી થવાય છે. માટે સુવિવેકી આત્માઓએ શ્રી જિનેશ્વરદેવની દ્રવ્યભાવ ઉભય પ્રકારની ભકિતમાં સદાકાળ દત્તચિત્તવાળા થવું અત્યંત જરૂરી છે.