________________
૫૪
અનુખ ધવાળુ અનુષ્ઠાન. માત્ર અનુષ્ઠાન તારતું નથી પણ અનુષ્ઠાન ઉપરની ભાવના અને તેના ઉપરના પ્રેમ તારે છે. આ પ્રેમ પ્રગટાવવા માટે અનુષ્ઠાનગત અને અનુષ્ઠાનદાતાગત જે શ્રેષ્ઠતા રહેલી છે તે સબધી ઉચ્ચતર ઉજજવલ વિચારા કરવાથી દિનપ્રતિદિન ભાવના દૃઢ થતી જાય છે.
ધ્યાન એ ભાવનાના પરિપાક છે. અને ભાવના પ્રયત્નસાધ્ય છે. મન પાસેથી ઉચ્ચમાં ઉચ્ચ કામ લેવાનુ સાધન ભાવના છે. ધ્યાન ફળસ્વરૂપ છે. પ્રયત્ન તે ભાવનામાં જ કરવાના હૈાય છે.
ચાગના અનેક પ્રકાશ છે. જેમ કે પ્રીતિ-ભક્તિ આદિ. ઈચ્છા પ્રવૃત્તિ આદિ, પંચાચાર આદિ, જ્ઞાન-દન આદિ, ક્ષમા-નમ્રતા આદિ, યમ-નિયમ આદિ અને દાન શીલ આદિ. આ બધા પ્રકારામાં ભાવનાના પુટ આપ્યા હાય તા જ તે સમાપત્તિમાં હેતુ મને. ભાવના વિના સમાપત્તિ સુધી પહોંચી શકાય નહિ', મનને પરમાત્માની સાથે એકાકાર કરવામાં વચ્ચે ભાવના ઘણુંા સુંદર ભાગ ભજવે છે. તેને ધ્યાનની કૃતિ કહી શકાય. અનુભવરૂપી મિત્રને મેળવી આપનાર પ્રથમ ભાવના જ કાર્યકારી અને છે અને ત્યારપછી અનુભવરૂપી મિત્ર પરમાત્માને મેળવી આપે છે.
છઠ્ઠા-સાતમા ગુણસ્થાનક સુધી અર્થાત્ વર્તમાન કાળમાં જેટલી ઉચ્ચ સ્થિતિ મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે, તેમાં ભાવનાના પ્રભાવ ઘણુા મેાટા છે. ત્યાં સુધી પહેોંચા