________________
પર
જે સત્ત્વની ફારવણીમાં અહિ‘ત પરમાત્માનું' નિમિત્ત મળે તે સત્ત્વ જ ઉત્કૃષ્ટ સત્ત્વ છે. તે જ ઉત્કૃષ્ટ તત્ત્વ છે અને તે જ ઉત્કૃષ્ટ ગતિ એટલે શરણ છે. તે સિવાય જીવનું કોઈ શરણુ છે જ નહિં અને તેજ મતિ ઉત્કૃષ્ટ મતિ છે કે જે મતિ અરિહંત ભગવતાએ કહેલ તવામાં વિશ્રાંતિ પામે છે. જ્યાં વિષયવિધયા અરિહંત પરમાત્મા આવે છે તે તમામ શક્તિ-સામગ્રી પરમ ઉત્કૃષ્ટ ખની જાય છે. એટલે એ બધા પ્રભાવ અરિહંત પરમાત્માના છે.
તત્ત્વષ્ટિએ જોઈએ તા અરિહંત પરમાત્મા દાતા છે, અરિહંત પરમાત્મા ભ્રાતા છે, અરિહંત પરમાત્મા સમગ્ર વિશ્વમય છે. સર્વત્ર અહિ'ત પરમાત્માના વિજય વર્તી રહ્યો છે અને જે અરિહંત પરમાત્મા છે તે હું જ છું અર્થાત્ શુદ્ધનયથી હું. પેાતે જ અહિ°ત સ્વરૂપ છું.
આવી રીતે રહેત પરમાત્માને અનન્યભાવે ભજનારા આત્મા પણ અંતે અરિહંત સ્વરૂપ અને છે. એ પ્રમાણે શ્રી સિદ્ધસેનસૂરિજી મહારાજશ્રીએ શક્રસ્તવમાં સ્પષ્ટ પણે ફરમાવ્યું છે.
આપણે સૌ અરિહંત પરમાત્માની ભક્તિમાં તટ્ટાલીન થઈ એવી દશા પ્રાપ્ત કરનારા અનીએ. એજ મ’ગલકામના.
*
जिना दाता जिनेा भोक्ता, जिन : सर्वमिदं जगत् । जिना जयति सर्वत्र, यो जिन : सोऽहमेव च ॥
—રાતવઃ