________________
હત ભગવંત મૃત્યુલોકની ભૂમિ ઉપર વિદ્યમાન હોવાથી તેઓ મૃત્યુલોકને સ્વર્ગ કરતાં પણ અધિક માને છે અને ભગવંતની સ્તુતિ કરતાં એક જ પ્રાર્થના કરે છે કે-હે પ્રભો ! અમે ગમે ત્યાં હાઈએ પણ આપ અમારા હૃદયમાંથી કદિ પણ દૂર થશે નહિં. અર્થાત પિતે સ્વર્ગના વાસી હેવા છતાં તે સ્થાનને સફળ કરવા માટે પિતાના હૃદયમાં અરિહંત પરમાત્માનું જ સાન્નિધ્ય તેઓ ઈચ્છે છે. એ વસ્તુ એમ બતાવે છે કે સ્વર્ગમાં પણ જે અરિહંત ભગવંતનું સાંનિધ્ય છે તે તે ઉત્કૃષ્ટ સ્વર્ગ છે અને તે ન હોય તે સ્વર્ગ પણ દુઃખને માટે બને છે. તેથી જીવ ગમે ત્યાં વસતે હોય પણ જે પરમાત્માનું મનમાં સાન્નિધ્ય છે તે તે ઉત્કૃષ્ટ સ્વર્ગમાં જ વસે છે. તેથી અરિહંત પરમાત્મા એ જ ઉત્કૃષ્ટ વર્ગ છે એમ કહી શકાય. (૯) ઉત્કૃષ્ટ મેક્ષા
સાચા ભક્તને મન મુક્તિ કરતાં પણ શ્રી અરિહંત પરમાત્માની ભક્તિની ઝંખના વધુ હોય છે. શ્રી અરિહંત પરમાત્માના સાંનિધ્યમાં તેમને એટલી બધી શાંતિ મળે છે, કે તેને મોક્ષની પણ ઈચ્છા રહેતી નથી. તેથી એમ સાબિત થાય છે કે-શ્રી અરિહંત પરમાત્મા એજ ઉત્કૃષ્ટ મેક્ષ છે. જે એમ ન હેત તે “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.” એમ મહાપુરુષે કેવી રીતે કહેત ? (૧૦ થી ૧૩) ઉત્કૃષ્ટ સત્વ, તત્વ, ગતિ અને મતિ
- સત્ત્વ, તત્વ, ગતિ અને મતિ આદિ જગમાં ગણાતાં