________________
માલિક હોય તે તે અરિહંત પરમાત્મા છે. અને તે કારણે તેમને ધર્મના શ્રેષ્ઠ ચતુરંતચક્રવર્તી કહેવામાં આવે છે.
શ્રી અરિહંત પરમાત્મા જેમ ધર્મને માર્ગ બતાવે છે, તેમ તેઓ પોતે સ્વયં ધર્મસ્વરૂપ પણ છે, તેમણે બતાવેલા માર્ગે ચાલવાથી જેમ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમ તેમના નામ, આકૃતિ આદિથી પણ પરમધર્મની પ્રાપ્તિ થાય છે. તેથી તેઓ પરમ ઉત્કૃષ્ટ ધર્મવરૂપ છે.
અભેદભાવે અરિહંત પરમાત્માને મળવું એજ પરમધર્મ છે અને એ અભેદભાવ કેળવવા માટે જે જે પ્રશસ્ત આલંબને છે, તેમાં અરિહંત પરમાત્માનું આલંબન સર્વે ત્કૃષ્ટ છે. તેમની અચિંત્ય શક્તિના પ્રભાવથી તેમનું ધ્યાન કરનારે આત્મા તેમની સમાન બને છે, તેથી તેઓ પરમઉત્કૃષ્ટ ધર્મસ્વરૂપ છે, એમ કહી શકાય. (૬) ઉત્કૃષ્ટ ગુર –
શ્રી અરિહંત પરમાત્મા જેમ પરમ-ઉત્કૃષ્ટ દેવ છે, તેમ તેઓ ઉત્કૃષ્ટ ગુરુ પણ છે. કારણ કે જગતમાં સૌથી પ્રથમ ધર્મને માર્ગ બતાવનાર તેઓ છે. ચરમભવમાં પોતે કોઈને પણ ગુરુ બનાવ્યા વિના જન્મથી જ જ્ઞાની હોવાથી તેઓ જગતના ગુરુ બને છે. ધર્મ એ અતીન્દ્રિય પદાર્થ છે, તે ચર્મચક્ષુને અગોચર હોય છે. જગતમાં જે જન્મથી જ જ્ઞાની એવા અરિહંત પરમાત્મા જેવું કંઈ તવ ન હોત તે ચર્મચક્ષુવાળા જગતના અજ્ઞાની છોને ધર્મમાર્ગની પ્રાપ્તિ કેવી રીતે સુલભ થાત ? તેથી જગતના જીને