________________
અનંત સુખને પ્રાપ્ત કરે છે. એ સુખ પ્રાપ્તિને ખરે માગ સમ્યમ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ છે. એ માર્ગ અરિ. હંત પરમાત્મા બતાવે છે અને તે પણ અપુનબંધક, માર્ગાનુસારી, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્ત આદિ ગુણઠાણાને યોગ્ય જીવેની તે તે ભૂમિકા અનુસાર બતાવે છે. જે ભૂમિકાને જે ચગ્ય હોય તેને તેના અધિકાર પ્રમાણે તે ભૂમિકાને ધર્મ બતાવેલ હોય તે તે માગે તે સુખપૂર્વક ગમન કરી શકે અને પરિણામે સાચા સુખની પ્રાપ્તિ કરી શકે. એ માગ શ્રી અરિહંત પરમાત્મા બતાવે છે. તેથી સાચા અર્થમાં તેઓ જ ઉત્કૃષ્ટ નેતા છે અને તેથી જ જ્ઞાનીઓએ અરિહંત ભગવતેને “મોક્ષમાય નેતા કહીને સાચા ઉત્કૃષ્ટ નેતા તરીકે માન્ય કર્યા છે. (૪) ઉત્કૃષ્ટ દેવ
દેવનું સ્વરૂપ સમજવા માટે તેના સંક્ષેપમાં પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે તે આ પ્રમાણે- નરદેવ, દ્રવ્યદેવ, ભાવેદેવ, ધર્મદેવ અને દેવાધિદેવ. તેમાં (૧) ચક્રવર્તિ રાજા-મહારાજાદિ નરદેવ ગણાય છે. (૨) દેવગતિમાં જવાને યોગ્ય કર્મ જેમણે ઉપાર્જન કર્યું છે તેવા સદાચારી મનુષ્ય દ્રવ્યદેવ ગણાય છે. (૩) દેવગતિને પ્રાપ્ત થયેલા જ ભાવદેવ ગણાય છે. (૪) જેઓ વત. માનકાલે ધર્મનું આચરી રહ્યા છે અને પિતાના સંસર્ગમાં આવનારા ચગ્ય આત્માઓને ધર્મમાગે વાળી રહ્યા છે તેઓ ધર્મદેવ ગણાય છે. અને (૫) જેઓ ધર્મના પારને