________________
૪૪ જન્મ થાય છે કે જે ધર્મતનુ અસ્પૃદય અને નિઃશ્રેયસરૂપ સકલ સુખસંપત્તિને હેતુ બને છે. તેથી પણ અરિહંત પરમાત્મા એ ઉત્કૃષ્ટ માતા છે. (૨) ઉત્કૃષ્ટ પિતા –
તેવી જ રીતે બ્લેકમાં કહેલી બીજી બાર ઉપમાએમાં પણ ઉત્કૃષ્ટપણું ઘટાવી લેવું. જેમ કે લૌકિક પિતા આપણું બાહ્યદષ્ટિએ પાલન કરે છે, જ્યારે શ્રી અરિહંત પરમાત્મારૂપી ઉત્કૃષ્ટ પિતા આપણી આંતરિક સંપત્તિનું પાલન કરે છે. તેઓ અપ્રાપ્ત ગુણસંપત્તિની પ્રાપ્તિ કરાવે છે, અને પ્રાપ્ત ગુણસંપત્તિની રક્ષા કરે છે. તેથી તેમને ઉત્કૃષ્ટ પિતાની ઉપમા આપવામાં આવી છે, તે યુક્ત છે. જે પાલન કરે તે પિતા. શ્રી અરિહંત પરમાત્મા આપણે આત્માનું એવું પાલન કરે છે કે જેના પ્રભાવે આત્માને કેવળજ્ઞાન આદિ ગુણની પ્રાપ્તિ થાય છે અને સદા કાળ તેની રક્ષા થાય, કદિ પણ ન ખુટે તેવી સિદ્ધદશા સુધી પહોંચાડે છે.
(૩) ઉત્કૃષ્ટ નેતા –
નેતા એટલે દેરવનારા-લઈ જનારા. લૌકિક નેતા પણ મનુષ્યને સુખને માર્ગે દોરવવા માટે પ્રયત્ન કરે છે. મોટે ભાગે તેમને પ્રયત્ન બાહ્ય ઉન્નતિને અનુલક્ષીને હેય છે, જ્યારે કેત્તર ઉત્કૃષ્ટ નેતા શ્રી અરિહંત પરમાત્મા આપણને પરમપંથ-મેક્ષના માર્ગે દોરી જાય છે. લૌકિક