________________
૩૯
અતિ દુષ્કર છે. એવા ઉપકારીના જે ઉપકાર માનતા નથી, તેમના આદર-સત્કાર કરતા નથી, તેમનુ મૌચિત્ય જાળવતા નથી તે મનુષ્ય અમ્ર'સ્કારી ગણાય છે. શિષ્ટ પુરુષામાં તેમની ગણત્રી થતી નથી.
ધાર્મિક જીવનને પાયા માર્ગાનુસારી જીવન છે. અને એવુ'માર્ગાનુસારી જીવન જીવવા માટે માતા-પિતાદિ ઉપકારી જનની પૂજા એ પ્રથમ શરત છે. તેમની પૂજા એટલે તેમને પ્રણામ આદિ કરવા, તેમને લૌકિક સ પ્રકારની અનુકૂળતા કરી આપવી, પરલેાકના સાધનરૂપ ધ આરાધનામાં તેમને પૂરતી સહાય કરવી વગેરે.
જન્મ આપનાર અને ત્યારપછી પણ અનેક પ્રકારના કષ્ટો વેઠીને જેમણે મહાન ઉપકાર કર્યો છે, તેવા પ્રત્યક્ષ ઉપકારી માતા-પિતાના ઉપકારને જે જાણી શકે નહિં, તેમનું બહુમાન કરે નહિં તે પરાક્ષ ઉપકારી એવા અિ હ'તાદિના ઉપકારને કેવી રીતે જાણી શકશે ? અને કેવી રીતે તેમની આરાધના કરી શકશે ?
ધર્મ માર્ગોમાં “કૃતજ્ઞતા ' એ અતિમહત્ત્વના * ગુણુ છે. ઉપકારીઓના ઉપકારના ખ્યાલ અને તેના સ્વીકાર આપણને કૃતજ્ઞ મનાવે છે. ખીજાએ પેાતા ઉપર કરેલા ઉપકારને જે જાણતા નથી, સ્વીકારતા નથી, તેઓ કૃતઘ્ન મને છે. અને કૃતઘ્નતા એ ઘણું માઢુ પાપ છે. જે પાપનું ફાઇ પ્રાયશ્ચિત નથી, એટલું ભયકર એ પાપ છે,