________________
જૈનદર્શન
ભગવાન મહાવીરે જ્યારે સર્વપ્રથમ સર્વસાવદ્યયોગનો ત્યાગ કરીને સમસ્ત પરિગ્રહને છોડી દીક્ષા લીધી ત્યારે તેમણે લેશમાત્ર પણ પરિગ્રહ પોતાની પાસે રાખ્યો ન હતો. તે પરમ દિગમ્બર બનીને જ પોતાની સાધનામાં
૧૨
પાર્ષાપત્યિક પરંપરામાં ન હતી, જેમને ભગવાન મહાવીરે જ શરૂ કરી હતી. ભગવાન મહાવીરની જીવનકથામાં તો એટલું જ કહેવામાં આવ્યું છે કે તેઓ સ્વીકૃત વસ્રનો ત્યાગ કરીને સર્વથા અચેલ બની ગયા. પરંતુ ઉત્તરાધ્યયનસૂત્રમાં કેશિ-ગૌતમ સંવાદમાં પાર્શ્વપત્યિક પરંપરાના પ્રતિનિધિ કેશી દ્વારા મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમ આગળ એ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે ભગવાન મહાવીરે તો અચેલ ધર્મ ઉપદેશ્યો છે અને પાર્શ્વનાથે સર્ચલ ધર્મ ઉપદેશ્યો છે. જો બન્નેનો ઉદ્દેશ એક જ છે તો પછી બન્ને જિનોના ઉપદેશમાં અંતર કેમ ? આ પ્રશ્ન ઉપરથી સ્પષ્ટ થાય છે કે પ્રશ્નકર્તા કેશી અને ઉત્તરદાતા ગૌતમ એ વાતમાં એકમત હતા કે નિર્પ્રન્થ પરંપરામાં અચેલ ધર્મ ભગવાન મહાવીરે શરૂ કરી ચલાવ્યો. જો આવું જ છે તો ઇતિહાસ પણ એ જ કહે છે કે ભગવાન મહાવીર પહેલા ઐતિહાસિક યુગમાં નિર્રન્થ પરંપરાનું સર્ચલ સ્વરૂપ હતું.
ભગવાન મહાવીરે અચેલતા દાખલ કરી તો તેમના બાહ્યઆધ્યાત્મિક વ્યક્તિત્વથી આકર્ષાઈને અનેક પાર્શ્વપત્યિક અને નવા નિર્પ્રન્થ અચેલક બન્યા, તેમ છતાં પણ પાર્શ્વપત્યિક પરંપરામાં એક વર્ગ એવો પણ હતો જે મહાવીરના શાસનમાં આવવા તો માગતો હતો પણ તેને સર્વથા અચેલત્વ અપનાવવું પોતાની શક્તિ બહાર લાગતું હતું. તે વર્ગની શક્તિ, અશક્તિ અને પ્રામાણિકતાનો વિચાર કરીને ભગવાન મહાવીરે અચેલત્વનો આદર્શ રાખવા છતાં પણ સચેલત્વનું મર્યાદિત વિધાન કર્યું અને પોતાના સંઘને પાપિત્યિક પરંપરા સાથે જોડવાનો રસ્તો ખુલ્લો કરી દીધો. આ મર્યાદામાં ભગવાન મહાવીરે ત્રણ થી બે અને બે થી એક વસ્ત્ર રાખવાનું પણ કહ્યું છે. (જુઓ આચારાંગનું વિમોહાધ્યયન). એક વસ રાખનારાનો માટે આચારાંગમાં (૭.૪.૨૦૯) ‘એકશાટક' જ શબ્દ છે, જેમ બૌદ્ધ પિટકોમાં છે તેમ. આ રીતે બૌદ્ધ પિટકોના ઉલ્લેખો અને જૈન આગમોનાં વર્ણનોને મેળવીએ છીએ તો એ માનવું જ પડે છે કે પિટક અને આગમોનાં વર્ણનો ઐતિહાસિક છે. જો કે ભગવાન મહાવીર પછી ઉત્તરોત્તર સચેલતા તરફ નિગ્રન્થોની પ્રવૃત્તિ વધતી ગઈ છે તેમ છતાં પણ તેમનામાં અચેલત્વ રહ્યું છે અને તેની પ્રતિષ્ઠા મુખ્ય રહી છે.
નિર્પ્રન્થ સંપ્રદાય જૈનતર્કભાષા-જ્ઞાનબિન્દુપરિશીલન, પૃ. ૩૧-૩૨ (અનુવાદક)