________________
પ્રમાણમીમાંસા
૩૦૧ ઉચ્ચારણ કરે છે તેઓ જ વ્યવહારકાળે પ્રાકૃત અને અપભ્રંશ શબ્દોથી જ પોતાનો સમસ્ત જીવનવ્યવહાર ચલાવે છે. એટલું જ નહિ પણ જો હિસાબ માંડવામાં આવે તો સ્પષ્ટ થશે કે ચોવીસ કલાકમાં સંસ્કૃત શબ્દોનો વ્યવહાર પાચ પ્રતિશતથી અધિક હોતો નથી. વ્યાકરણનાં બન્ધનોમાં ભાષાને બાંધીને તેને પરિષ્કૃત અને સંસ્કૃત બનાવવામાં અમને કોઈ આપત્તિ નથી. અને આ રીતે તે કેટલાક વાવિલાસીઓના જ્ઞાન અને વિનોદની સામગ્રી ભલે બની જાય, પરંતુ એનાથી શબ્દોની સર્વસાધારણ વાચકશક્તિરૂપ સંપત્તિ ઉપર એકાધિકાર ન જમાવી શકાય. “સકેત અનુસાર સંસ્કૃત પણ પોતાના ક્ષેત્રમાં વાચકશક્તિની અધિકારિણી હો. અને શેષ ભાષાઓ પણ પોતપોતાના ક્ષેત્રમાં સતાધીન વાચકશક્તિની સમાન અધિકારિણી બની રહો” આ જ એક તર્કસંગત અને વ્યવહારુ માર્ગ છે.
શબ્દની સાધુતાનું નિયામક છે “અવિતથ અર્થાત્ સત્ય અર્થના બોધક હોવું એ અને નહિ કે તેનું સંસ્કૃત હોવું એ. જેવી રીતે સંસ્કૃત શબ્દ અવિતથ અર્થાત્ સત્ય અર્થનો બોધક હોવાથી સાધુ હોઈ શકે છે તો તેવી જ રીતે પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓ પણ સત્યાર્થનું પ્રતિપાદન કરવાથી સાધુ બની શકે છે.
જૈન પરંપરા જન્મગત જાતિભેદ અને તમૂલક વિશેષ અધિકારોને સ્વીકારતી નથી. તેથી તે વસ્તુવિચારના વખતે આ વર્ચસ્વાર્થ અને પક્ષમોહનાં ચશ્માં આંખો પર ચડવા દેતી નથી અને તેથી અન્ય ક્ષેત્રોની જેમ ભાષાના ક્ષેત્રમાં પણ પોતાની નિર્મળ દૃષ્ટિથી અનુભવમૂલક સત્ય પદ્ધતિને જ તેણે અપનાવી છે.
શબ્દોચ્ચારણ માટે જિદ્વા, તાલુ, કંઠ આદિની શક્તિ અને પૂર્ણતાની અપેક્ષા હોય છે અને શબ્દને સાંભળવા માટે ગ્રાન્ટેન્દ્રિયની પરિપૂર્ણતાની અપેક્ષા હોય છે. આ બન્ને ઈન્દ્રિયો જે પણ વ્યક્તિને હશે તે કોઈ પણ જાતના જાતિભેદ વિના બધા શબ્દોનું ઉચ્ચારણ કરી શકશે અને તેમને સાંભળી શકશે અને જેમણે જે જે શબ્દનો સંકેત ગ્રહણ કર્યો હશે તેમને તે તે શબ્દને સાંભળીને અર્થબોધ પણ બરાબર થશે. “સ્ત્રી અને શુદ્ર સંસ્કૃત ન ભણે યા બોલે અને દ્વિજ જ ભણે યા બોલે આ પ્રકારના વિધિનિષેધો કેવળ વર્ગસ્વાર્થના પાયા ઉપર આધારિત છે. વસ્તુસ્વરૂપના વિચારમાં તે વિધિનિષેધોનો કોઈ ઉપયોગ નથી, બલ્લે તેઓ વસ્તસ્વરૂપને વિકૃત કરી નાખે છે.
પરોક્ષ પ્રમાણના નિરૂપણનો ઉપસંહાર
આ રીતે પરોક્ષ પ્રમાણના સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ આ પાંચ ભેદ છે. આ પાંચે ભેદોમાં “અવિશદ જ્ઞાન” આ સામાન્ય લક્ષણ