________________
પ્રમાણમીમાંસા
૩૪૭ વ્યવહાર પરસ્પર સાપેક્ષ હોઈ શકે છે. પરંતુ તેમનું સ્વરૂપ પરસ્પર સાપેક્ષ નથી, તે તો સ્વતઃ સિદ્ધ છે. તેથી ક્ષણિકતાની અને શૂન્યતાની ભાવનાઓથી વસ્તુની સિદ્ધિ કરી શકાતી નથી.
આ રીતે વિશેષપદાર્થવાદ પણ વિષયાભાસ છે, કેમ કે જેવું તેનું વર્ણન છે તેવું તેનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી. ઉભયસ્વતનવાદમીમાંસા
(૧) પૂર્વપક્ષ – વૈશેષિક સામાન્ય અર્થાત જાતિ અને દ્રવ્ય, ગુણ, કર્મરૂપ વિશેષ અર્થાત વ્યક્તિઓને સ્વતંત્ર પદાર્થો માને છે, સામાન્ય અને વિશેષ વચ્ચે સમવાય સંબંધ હોય છે. વૈશેષિકનો મૂળ મગ્ન છે – પ્રત્યયના આધારે પદાર્થોની વ્યવસ્થા કરવી. ‘દ્રવ્ય ‘દવ્ય' એવો પ્રત્યય થાય છે, તેથી દ્રવ્ય એક પદાર્થ છે.
:' “પુન:’ અને ‘વર્ષ ‘’ એ પ્રકારે સ્વતંત્ર પ્રત્યયો થાય છે, તેથી ગુણ અને કર્મ સ્વતંત્ર પદાર્થો છે. આ રીતે અનુગતાકાર પ્રત્યયના કારણે સામાન્ય પદાર્થ, નિત્ય પદાર્થોમાં પરસ્પર ભેદ સ્થાપિત કરવા માટે વિશેષ પદાર્થ અને
(અહીં અર્થાત્ આમાં આ છે)' પ્રત્યયથી સમવાય પદાર્થો માન્યા છે. જેટલા પ્રકારનાં જ્ઞાનો અને શબ્દવ્યવહારો થાય છે તેમનું વર્ગીકરણ કરીને અસાંકર્યભાવે એટલા પદાર્થો માનવાનો પ્રયત્ન વૈશેષિકોએ કર્યો છે. તેથી વૈશેષિકોને “સંપ્રત્યયોપાધ્યાય' કહેવામાં આવે છે.
(૨) ઉત્તરપલ - પરંતુ પ્રત્યય અર્થાત્ જ્ઞાન અને શબ્દવ્યવહાર એટલાં તો અપરિપૂર્ણ અને લચીલાં છે કે તેમના ઉપર પૂરો ભરોસો ન રાખી શકાય. તેઓ તો વસ્તુસ્વરૂપ તરફ માત્ર ઇશારો જ કરી શકે. એટલું જ નહિ પણ તેઓ તો અખંડ અને અનિર્વચનીય વસ્તુને સમજવા અને સમજાવવા માટે તેના ખંડ ખંડ કરી નાખે છે અને એટલું તો વિશ્લેષણ કરી નાખે છે કે તે વસ્તુના અંશો સ્વતન્ત પદાર્થો જણાવા લાગે છે. ગુણ-ગુણાંશ અને દેશ-દેશાંશની કલ્પના પણ છેવટે બુદ્ધિ અને શબ્દવ્યવહારની જ કરામત છે. એક અખંડ દ્રવ્યથી પૃથફભૂત યા પૃથકસિદ્ધ ગુણ અને ક્રિયા રહી શકતાં નથી અને બતાવી શકાતા પણ નથી, તેમ છતાં બુદ્ધિ તેમને પૃથક પદાર્થો તરીકે બતાવવા તૈયાર છે. પદાર્થ તો પોતાનું નક્કર અને અખંડ અસ્તિત્વ ધરાવે છે, તે પોતાનાં પરિણમનો અનુસાર અનેક પ્રત્યયોનો વિષય બની શકે છે. ગુણ, ક્રિયા અને સંબંધ આદિ સ્વતન્ત પદાર્થો નથી, તેઓ તો દ્રવ્યની અવસ્થાઓના વિભિન્ન વ્યવહારો છે.