________________
૪૫૬
જૈનદર્શન
જૈન દર્શનનું ભારતીય સંસ્કૃતિને આ જ તો પરમ પ્રદાન છે કે જેણે વસ્તુના વિરાટ સ્વરૂપને સાપેક્ષ દૃષ્ટિકોણોથી જોવાનું શિખવાડ્યું. જૈનાચાર્યોએ આ સમન્વયપદ્ધતિ પર જ સંખ્યાબંધ ગ્રન્થો લખ્યા. આશા છે કે આ અહિંસાધાર, અને માનસ અહિંસાના અમૃતમય પ્રાણભૂત સ્યાદ્વાદનો જીવનને સંવાદી બનાવવામાં યથોચિત ઉપયોગ કરવામાં આવશે.