________________
૪૩૬
જૈનદર્શન માનવામાં આવે છે તેવી જ રીતે ઊંટ અને દહીંમાં પણ એક દ્રવ્ય માનવું જોઈએ એમ કહેવું ઉચિત નથી કેમ કે વસ્તુતઃ દ્રવ્ય તો પુદ્ગલ અણુ જ છે. સુવર્ણ વગેરે પણ અનેક પરમાણુઓની લાંબા સમય સુધી એક જેવી ટકી રહેનારી સદેશ અન્ય અવસ્થા જ છે અને એના કારણે જ તેના વિકારોમાં અન્વય પ્રત્યય થાય છે. પ્રત્યેક આત્માના પોતાના હર્ષ, વિષાદ, સુખ, દુઃખ આદિ પર્યાયોમાં કાલભેદ હોવા છતાં પણ જે અન્વયે પ્રત્યય થાય છે તેનું કારણ ઊર્ધ્વતાસામાન્ય છે. એક પુદ્ગલાણનો પોતાની કાલક્રમથી થનારી અવસ્થાઓમાં જે અવિચ્છેદ છે તે પણ ઊર્ધ્વતા સામાન્ય જ છે જેના કારણે તે અવસ્થાઓમાં અનુગત પ્રત્યય થાય છે. તે અવસ્થાઓમાં યા પર્યાયોમાં તે રૂપથી એકત્વ યા અભેદ કહેવામાં કોઈ આપત્તિ નથી, પરંતુ બે સ્વતત્ર દ્રવ્યોમાં સાદૃશ્યમૂલક જ એકત્વનો આરોપ થાય છે, એકત્વ વાસ્તવિક નથી. તેથી આપણે જેમને માટી યા સુવર્ણ દ્રવ્યો કહીએ છીએ તે બધાં અનેક પરમાણુઓના સ્કન્ધો છે. તેમને આપણે વ્યવહારાર્થ જ એક દ્રવ્ય કહીએ છીએ. જે પરમાણુઓના સ્કલ્પમાં સુવર્ણ જેવો પીળો રંગ, વજન, નરમાશ વગેરે ભેગાં મળી જાય છે તેમને આપણે પ્રતિક્ષણ સદશ સ્કલ્પરૂપ પરિણમન થવાના કારણે સ્થૂળ દષ્ટિએ “સુવર્ણ' કહી દઈએ છીએ. તેવી જ રીતે માટી, તનુ વગેરેની બાબતમાં પણ સમજવું જોઈએ. સુવર્ણને જ જ્યારે આયુર્વેદીય પ્રયોગો દ્વારા ભસ્મ બનાવી દેવાય છે અને ભસ્મ પુરુષ દ્વારા ખવાઈને મળ આદિ રૂપે પરિણત થઈ જાય છે ત્યારે પણ એક અવિચ્છિન્ન ધારા પરમાણુઓની ચાલુ રહે છે, “સુવર્ણ પર્યાય તો ભસ્મ આદિ બનીને નષ્ટ થઈ જાય છે. તેથી અનેક દ્રવ્યોમાં વ્યવહારને માટે જે સાદશ્યમૂલક અભેદવ્યવહાર થાય છે તે તો વ્યવહારને માટે જ છે. આ સાદૃશ્ય ઘણા અવયવો યા ગુણોની સમાનતા છે અને તે (સાદશ્ય) પ્રત્યેક વ્યક્તિનિષ્ઠ હોય છે, ઉભયનિષ્ઠ કે અનેકનિષ્ઠ નથી હોતું. ગાયનું સાદશ્ય ગવયનિષ્ઠ છે અને ગવયનું સાદૃશ્ય ગાયનિષ્ઠ છે. આ અર્થમાં સાદશ્ય તે વસ્તુનું પરિણમન જ થયું, તેથી જ તે તેનાથી અભિન્ન છે. એવું કોઈ સાદૃશ્ય નથી જે બે વસ્તુમાં અનુસૂત રહેતું હોય. તેની પ્રતીતિ અવશ્ય પરસાપેક્ષ છે, પરંતુ તેનું સ્વરૂપ તો વ્યક્તિનિષ્ઠ જ છે. તેથી જૈનોએ માનેલું તિર્યસામાન્ય, જેના લીધે ભિન્ન ભિન્ન દ્રવ્યોમાં સાદશ્યમૂલક અભેદવ્યવહાર થાય છે તે, અનેકાનુગત ન હોતાં પ્રત્યેકમાં પરિસમાપ્ત છે. તેને નિમિત્ત બનાવી અનેક વ્યક્તિઓમાં જે અભેદ કહેવાય છે તે કાલ્પનિક છે, વાસ્તવિક નથી. આવી પરિસ્થિતિમાં દહીં અને ઊંટમાં અભેદનો જે વ્યવહાર એક પુદ્ગલસામાન્યની દૃષ્ટિએ કરી શકાય છે તે ઔપચારિક કલ્પના છે. ઊંટ ચેતન છે અને દહીં અચેતન, તેથી તે બેમાં પુલસામાન્યની દૃષ્ટિએ અભેદ