________________
૩૬૩
નયવિચાર અવયવી વ્યપદેશ (નામ) પામી શકે છે. સ્થૂળતામાં પણ અનેક પ્રદેશવ્યાપિસ્વરૂપ દૈશિક અભેદદષ્ટિ જ અપેક્ષણીય હોય છે.
આ નયની દષ્ટિએ કહી શકાય કે “વિશ્વ સન્માત્રરૂપ છે, એક છે, અદ્વૈત છે કેમ કે સરૂપે ચેતન અને અચેતનમાં કોઈ ભેદ નથી.
અયબ્રહ્મવાદ સંગ્રહાભાસ છે કેમ કે તેમાં ‘ને નાનીતિ ઝિશન” (કઠોપનિષદ્ ૪.૧૧) કહીને ભેદનું સર્વથા નિરાકરણ કરી નાખ્યું છે. સંગ્રહનયમાં અભેદ મુખ્ય હોવા છતાં પણ ભેદનું નિરાકરણ કરવામાં આવતું નથી, તે ગૌણ અવશ્ય બની જાય છે પરંતુ તેના અસ્તિત્વનો નિષેધ કરી શકાતો નથી. અયબ્રહ્મવાદમાં કારક અને ક્રિયાઓના પ્રત્યક્ષસિદ્ધ ભેદનું નિરાકરણ થઈ જાય છે. કર્મક્રેત, ફલદ્વૈત, લોકદ્વૈત, વિદ્યા-અવિદ્યાત આદિ બધા દ્વતોનો લોપ આ મતમાં પ્રાપ્ત થાય છે. તેથી સાગ્રહિક વ્યવહાર માટે ભલે પરસંગ્રહનય જગતના સઘળા પદાર્થોને “સત્' કહે પરંતુ તેનાથી પ્રત્યેક દ્રવ્યના મૌલિક અસ્તિત્વનો લોપ થઈ શકતો નથી. વિજ્ઞાનની પ્રયોગશાળા પ્રત્યેક અણુનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારે છે. તેથી સંગ્રહાયની ઉપયોગિતા અભેદવ્યવહાર માટે જ છે, વસ્તુસ્થિતિનો લોપ કરવા માટે નથી.
આ જ રીતે શબ્દાદ્વૈત પણ સંગ્રહાભાસ છે. તે એટલા માટે કે તેમાં ભેદનું અને દ્રવ્યોના તે મૌલિક અસ્તિત્વનું નિરાકરણ કરી દેવામાં આવે છે જેમનું અસ્તિત્વ પ્રમાણથી તો પ્રસિદ્ધ છે જ , વિજ્ઞાને પણ જેને પ્રત્યક્ષ કરી દેખાડ્યું છે.
વ્યવહાર અને વ્યવહારાભાસ
સંગ્રહનયે ગ્રહણ કરેલા અર્થમાં વિધિપૂર્વક, અવિસંવાદી અને વસ્તુસ્થિતિમૂલક ભેદ કરનારો વ્યવહારનય છે. આ વ્યવહારનય લોકપ્રસિદ્ધ વ્યવહારનો અવિરોધી હોય છે. લોકવ્યવહારવિરોધી, વિસંવાદી અને વસ્તુસ્થિતિની ઉપેક્ષા કરનારી ભેદકલ્પના વ્યવહારાભાસ છે. લોકવ્યવહાર અર્થ, શબ્દ અને જ્ઞાન ત્રણથી ચાલે છે. જીવવ્યવહાર જીવ અર્થ, જીવવિષયક જ્ઞાન અને “જીવ” શબ્દ ત્રણેથી સધાય છે. વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે”, “દ્રવ્ય ગુણ-પર્યાયવાળુ છે” “જીવ ચૈતન્યરૂપ છે” ઈત્યાદિ ભેદક વાક્યો પ્રમાણાવિરોધી છે તથા લોકવ્યવહારમાં અવિસંવાદી હોવાથી પ્રમાણ છે. તેઓ વસ્તુગત અભેદનો નિષેધ ન કરવાના કારણે તથા પૂર્વાપર
૧. સર્વમેવું સવિશેષતા તત્ત્વાર્થભાષ્ય, ૧.૩૫. ૨. સંપ્રદક્ષિણા નામનાં વિધિપૂર્વમવદનં ચવદ: સર્વાર્થસિદ્ધિ, ૧.૩૩.