________________
નયવિચાર
૩૭૯
જ કહે છે, પુદ્ગલના નિહ. વ્યવહારનય સદ્ભૂત અને અસદ્ભૂત બંનેમાં ઉપરિત અને અનુપચરિત અનેક પ્રકારે પ્રવૃત્ત થાય છે. સમયસારના ટીકાકારોએ પોતાની ટીકામાં વર્ણાદિ અને રાગાદિને વ્યવહાર અને અશુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ જ વિચારવાનો સંકેત કર્યો છે.
પંચાધ્યાયીનો નયવિભાગ
પંચાધ્યાયીકાર અભેદગ્રાહીને દ્રવ્યાર્થિક અને નિશ્ચયનય કહે છે તથા કોઈ પણ પ્રકારના ભેદને ગ્રહણ કરનાર નયને પર્યાયાર્થિક અને વ્યવહારનય કહે છે. તેમના મતે નિશ્ચયનયના શુદ્ધ અને અશુદ્ધ ભેદો કરવા એ જ ખોટું છે. તે વસ્તુના સદ્ભૂત ભેદને વ્યવહારનયનો જ વિષય માને છે. અખંડ વસ્તુમાં કોઈ પણ પ્રકારના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આદિની દૃષ્ટિએ થનારા ભેદો પર્યાયાર્થિક યા વ્યવહારનયનો વિષય બને છે. તેમની દૃષ્ટિમાં સમયસારગત પરનિમિત્તક ભેદ જ વ્યવહાર નથી પરંતુ સ્વગત ભેદ પણ વ્યવહારનયની સીમામાં જ થાય છે. વ્યવહારનયના બે ભેદ છે – એક સદ્ભૂત વ્યવહારનય અને બીજો અસદ્ભૂત વ્યવહારનય. વસ્તુમાં તેના પોતાના ગુણોની દૃષ્ટિએ ભેદ કરવો એ સદ્ભૂત વ્યવહાર છે. અન્ય દ્રવ્યના ગુણોની બળપૂર્વક અન્યત્ર યોજના કરવી એ અસદ્ભૂત વ્યવહાર છે, જેમ કે વર્ણાદિવાળા મૂર્ત પુદ્ગલ કર્મદ્રવ્યના સંયોગથી થતા ક્રોધાદિ મૂર્ત ભાવોને જીવના કહેવા. અહીં ક્રોધાદિમાં જે પુદ્ગલદ્રવ્યના મૂર્તત્વનો આરોપ કરવામાં આવ્યો છે તે અસદ્ભુત છે અને ગુણ-ગુણીનો જે ભેદ વિવક્ષિત છે તે વ્યવહાર છે. સદ્ભૂત અને અસદ્ભૂત વ્યવહાર બન્નેય ઉપરિત અને અનુપચરિતના ભેદથી બે બે પ્રકારના બને છે. ‘જ્ઞાન જીવનું છે' આ અનુપચરિત સદ્ભૂત વ્યવહારનય છે તથા ‘અર્થવિકલ્પાત્મક જ્ઞાન પ્રમાણ છે અને તે જ આત્માનો ગુણ છે' આ ઉપચિરત સદ્ભૂત વ્યવહારનય છે. આમાં જ્ઞાનમાં અર્થવિકલ્પાત્મકતા ઉપચરિત છે અને ગુણ-ગુણીનો ભેદ વ્યવહાર છે.
અનગારધર્મામૃત (અધ્યાય ૧ શ્લોક ૧૦૪...) આદિમાં જે ‘કેવલજ્ઞાન જીવનું છે' આ અનુપચરત સદ્ભૂત વ્યવહારનું તથા ‘મતિજ્ઞાન જીવનું છે' આ
१. अशुद्धनिश्चयस्तु वस्तुतो यद्यपि द्रव्यकर्मापेक्षया आभ्यन्तररागादयश्चेतना इति मत्वा निश्चयसंज्ञां लभते तथापि शुद्धनिश्चयनयापेक्षया व्यवहार एव इति व्याख्यानं નિશ્ચયન્યવહારનયવિવારાને સર્વત્ર જ્ઞાતવ્યમ્ । સમયસારતાત્પર્યવૃત્તિ, ગાથા ૭૩. ૨. પંચાધ્યાયી, ૧. ૬૫૯-૬૬૧. ૩. એજન. ૧. ૫૨૫થી આગળ.