________________
૪૧૨
જૈનદર્શન સંજય અને બુદ્ધ આ પ્રશ્નોનું સમાધાન નથી કરતા, તેમને અનિશ્ચય યા અવ્યાકૃત કહીને તેમનાથી છૂટકારો મેળવી લે છે, જ્યારે મહાવીર તો તેમનું વાસ્તવિક અને યુક્તિસંગત સમાધાન કરે છે. આના ઉપર પણ રાહુલજી એ કહેવાનું સાહસ કરે છે કે “સંજયના અનુયાયીઓ લુપ્ત થઈ જતાં સંજયના વાદને જ જૈનોએ અપનાવી લીધો.” આ તો એના જેવું છે જેમ કે કોઈ કહે કે “ભારતમાં રહેલી પરતંત્રતાને પરતંત્રતાના વિધાયક અંગ્રેજોના ચાલ્યા ગયા પછી ભારતીયોએ તેને અપરતંત્રતાના (સ્વતંત્રતાના) રૂપમાં અપનાવી લીધી કેમ કે અપરતત્રતામાં પણ “પરતંત્રતા આ પાંચ અક્ષરો મોજૂદ છે જ અથવા “હિંસાને જ બુદ્ધ અને મહાવીરે તેના અનુયાયીઓ લુપ્ત થઈ જતાં “અહિંસાના રૂપમાં અપનાવી લીધી કેમ કે અહિંસામાં પણ હિંસા આ બે અક્ષરો છે જ.” જેટલો પરતંત્રતાનો અપરતંત્રતાથી અને હિંસાનો અહિંસાથી ભેદ છે તેટલો જ સંજયના અનિશ્ચય યા અજ્ઞાનવાદથી સ્યાદ્વાદનો ભેદ (અન્તર) છે. તે બે તો ત્રણ અને છની જેમ પરસ્પર વિમુખ છે. સ્યાદ્વાદ તો સંજયના અજ્ઞાન અને અનિશ્ચયનો ઉચ્છેદ જ કરી નાખે છે, સાથે ને સાથે જ તત્ત્વમાં જે વિપર્યય અને સંશય છે તેમનો પણ સમૂળ નાશ કરી નાખે છે. એ જોઈને તો વળી વધુ આશ્ચર્ય થાય છે કે આપ (પૃ.૪૮૪માં) અનિશ્ચિતતાવાદીઓની સૂચિમાં સંજયની સાથે નિગૂંઠનાથપત્તનું (મહાવીરનું) નામ પણ લખી નાખો છો તથા (પૃ. ૪૯૧માં) સંજયને અનેકાન્તવાદી પણ કહો છો. શું આને ધર્મકીર્તિના શબ્દોમાં “ધિ ચાપવં તમઃ' ન કહી શકાય? સ્થાનો અર્થ શાયદ (હિંદી), સંભવ કે કદાચ નથી
“ચા” શબ્દના પ્રયોગથી સામાન્યપણે લોકોને સંશય, અનિશ્ચય અને સંભાવનાનો ભ્રમ થાય છે. જ્યાં એક વાદનું સ્થાપન ન કરવામાં આવતું હોય એવા પ્રસંગે પ્રયોજાતી આ તો પુરાણી ભાષાશૈલી છે. એકાધિક ભેદ યા વિકલ્પની સૂચના જયાં કરવાની હોય છે ત્યાં ‘મિય’ (ચાતુ) પદનો પ્રયોગ એ તો ભાષાની વિશિષ્ટ શૈલીનું એક રૂપ રહ્યું છે. આ વસ્તુ મજૂઝિમનિકાયના મહારાહુલોવાદ સુત્તના અવતરણથી જ્ઞાત થાય છે. તેમાં ‘સિયા' શબ્દ તેજોધાતુના બંને સુનિશ્ચિત ભેદને સૂચવે છે અને નહિ કે તે ભેદોના અનિશ્ચય. સંશય યા સંભાવનાને વ્યક્ત કરે છે. આ જ રીતે 'ચાતિ’ની અંદર
૧. બુદ્ધના અવ્યાકૃત પ્રશ્નોના પૂરા સમાધાન માટે તથા તેમનાં આગમિક અવતરણો
માટે જુઓ જૈનતર્કવાર્તિકની પ્રસ્તાવના પૃ. ૧૪-૨૪. ૨. જુઓ પૃષ્ઠ પ૩.