________________
૪૨૩
સ્યાદ્વાદ અને સપ્તભંગી ધર્મકીર્તિ અને અનેકાન્તવાદ
આચાર્ય ધર્મકીર્તિ “પ્રમાણવાર્તિકમાં (૩.૧૮૦-૧૮૪) ઉભયરૂપ તત્ત્વના સ્વરૂપમાં વિપર્યાસ કરીને અત્યંત રોષપૂર્વક અનેકાન્ત તત્ત્વને પ્રલાપમાત્ર કહે છે. તે સાગમતનું ખંડન કર્યા પછી જૈનમતના ખંડનનો ઉપક્રમ કરતાં લખે છે –
एतेनैव यदहीकाः किमप्ययुक्तमाकुलम् । પ્રપતિ પ્રતિક્ષિપ્ત તવાન્તરમવાન્ II પ્રમાણવાર્તિક, ૩.૧૮૦
અર્થાત્ સાગમતનું ખંડન કરવાથી જ અહીક એટલે કે દિગમ્બરો જે કંઈ અયુક્ત અને આકુલ પ્રલાપ કરે છે તે ખંડિત થઈ જાય છે કેમ કે તત્ત્વ એકાન્તરૂપ જ હોઈ શકે.
જો બધાં તત્ત્વોને ઉભયરૂપ એટલે કે સ્વ-પરરૂપ માનવામાં આવે તો પદાર્થોમાં વિશેષતાનું નિરાકરણ થઈ જવાથી “દહીં ખાઓ આ પ્રકારની આજ્ઞા જેને આપવામાં આવી છે તે પુરુષ ઊંટને ખાવા માટે કેમ દોડતો નથી ? તેણે ઊંટને ખાવા દોડવું જોઈએ કેમ કે દહીં સ્વ અર્થાત્ દહીંની જેમ પર અર્થાત ઊંટ રૂપ પણ છે. જો દહીં અને ઊંટમાં કોઈ વિશેષતા યા અતિશય હોય જેના કારણે “દહીં શબ્દથી દહીંમાં જ અને “ઊંટ' શબ્દથી ઊંટમાં જ પ્રવૃત્તિ થતી હોય તો તે જ વિશેષતા સર્વત્ર માની લેવી જોઈએ અને એવી પરિસ્થિતિમાં તો તત્ત્વ ઉભયાત્મક ન રહેતાં અનુભાયાત્મક એટલે કે પ્રતિનિયત સ્વરૂપવાળું જ સિદ્ધ થાય.'
આ પ્રસંગમાં આચાર્ય ધર્મકીર્તિએ જૈનતત્ત્વનો વિપર્યાસ કરવામાં તો હદ કરી નાખી છે. તત્ત્વને ઉભયાત્મક અર્થાત સત-અસદાત્મક, નિત્યાનિત્યાત્મક કે ભેદભેદાત્મક કહેવાનું તાત્પર્ય એ છે કે દહીં દહીં રૂપે સત્ છે અને દહીંથી ભિન્ન ઊંટાદિરૂપે તે અસત યા “નાસ્તિ' છે. જ્યારે જૈન તત્ત્વજ્ઞાન સ્પષ્ટપણે કહી રહ્યું છે કે “પ્રત્યેક વસ્તુ સ્વરૂપથી છે, પરરૂપથી નથી ત્યારે તેમાંથી તો એ જ ફલિત થાય છે કે “દહીં દહીં છે, ઊંટ આદિ નથી. આવી પરિસ્થિતિમાં જેને દહીં ખાવાનું કહેવામાં આવેલ છે તે પુરુષ ઊંટને ખાવા શા માટે દોડે ? જ્યારે ઊંટનું નાસ્તિત્વ દહીંમાં છે ત્યારે ઊંટમાં પ્રવૃત્તિ કરવાનો પ્રસંગ કોઈ અનુસ્નત્તને કેવી રીતે હોઈ ૧. સર્વચોમયપત્તે તક્રિોનિવૃત્તઃ |
चोदितो दधि खादेति किमुष्टुं नाभिधावति ॥ .. अथास्त्यतिशयः कश्चित् येन भेदेन वर्तते ।
વ વિશેષોડચત્ર નાતીત્યમ વરમ્ II પ્રમાણવાર્તિક, ૩.૧૮૧-૧૮૨