________________
૪૨૮
જૈનદર્શન નથી. ભેદ પક્ષમાં અને અભેદ પક્ષમાં જે દોષો આવે છે તે દોષો બંને પક્ષોને માનતા પણ અવશ્ય આવે છે જ. ભિન્નાભિનાત્મક વસ્તુની સંભાવના નથી. તેથી આ વાદ દુષ્ટકલ્પિત છે,' ઇત્યાદિ.'
પરંતુ જે અભેદ અંશ છે તે જ દ્રવ્ય છે અને જે ભેદ છે તે જ પર્યાય છે. સર્વથા ભેદ અને સર્વથા અભેદ વસ્તુમાં મનાયા નથી કે જેથી ભેદપક્ષના દોષો અને અભેદપક્ષના દોષો આવી વસ્તુમાં આવે. પરિસ્થિતિ એ છે કે દ્રવ્ય એક અખંડ મૌલિક છે. તેનાં કાળક્રમે થનારા પરિણમનો પર્યાય કહેવાય છે. પર્યાયો તે દ્રવ્યમાં થાય છે. અર્થાત્ દ્રવ્ય અતીતના સંસ્કારોને ગ્રહણ કરતું વર્તમાન પર્યાયરૂપ બને છે અને ભવિષ્ય માટે કારણ બને છે. અખંડ દ્રવ્યને સમજાવવા માટે તેમાં અનેક ગુણો માનવામાં આવે છે જે પર્યાયરૂપે પરિણત થાય છે.
દ્રવ્ય અને પર્યાયમાં જે સંજ્ઞાભેદ, સંખ્યાભેદ, લક્ષણભેદ અને કાર્યભેદ આદિ બતાવવામાં આવે છે તે તે બેનો ભેદ સમજાવવા માટે છે, વસ્તુતઃ તે બેમાં એવો ભેદ નથી કે જેથી પર્યાયોને દ્રવ્યમાંથી કાઢી લઈ અલગ કરીને જુદા બતાવી શકાય. પર્યાયરૂપે દ્રવ્ય અનિત્ય છે. દ્રવ્યથી અભિન્ન હોવાના કારણે પર્યાયોને જો નિત્ય કહેવામાં આવે તો પણ કોઈ દૂષણ નથી કેમકે દ્રવ્યનું અસ્તિત્વ કોઈ ને કોઈ પર્યાયમાં જ તો હોય છે. દ્રવ્યનું સ્વરૂપ જુદું અને પર્યાયનું સ્વરૂપ જુદું એનો એટલો જ અર્થ છે કે બંનેનો ભેદ સમજાવવા માટે તેમનાં લક્ષણો જુદાં જુદાં છે. કાર્યો પણ જુદાં એટલા માટે છે કેમ કે દ્રવ્યથી અન્વયજ્ઞાન થાય છે જ્યારે પર્યાયોથી વ્યાવૃત્તજ્ઞાન યા ભેદજ્ઞાન થાય છે. દ્રવ્ય એક હોય છે અને પર્યાયો કાલક્રમથી અનેક. તેથી આ સંજ્ઞા આદિ દ્વારા વસ્તુના ટુકડા માનીને જે દૂષણો દેવામાં આવે
છે તે આમાં લાગુ પડતા નથી. હા, વૈશેષિકો જેઓ દ્રવ્ય, ગુણ અને કર્મ આદિને . સ્વતન્ત પદાર્થ માને છે તેમના ભેદપક્ષમાં આ દૂષણોનું સમર્થન તો જૈનો પણ કરે
છે. સર્વથા અભેદરૂપ બ્રહ્મવાદમાં વિવર્ત, વિકાર થા ભિન્ન પ્રતિભાસ આદિની
૧. દ્રવ્યપર્યાયરૂપત્ની રૂષ્ય વસ્તુનઃ વિત્ત |
तयोरेकात्मकत्वेऽपि भेदः संज्ञादिभेदतः ॥१॥ भेदाभेदोक्तदोषाश्च तयोरिष्टौ कथं न वा । પ્રત્યે કે પ્રસંચને દૂય કર્થ ને તે દ્રા न चैवं गम्यते तेन वादोऽयं जाल्मकल्पितः ॥४५।।
- હેતુબિન્દુટીકા, પૃ. ૧૦૪-૧૦૭.