________________
૪૦૩
સ્યાદ્વાદ અને સપ્તભંગી
અકલંકદેવે તત્ત્વાર્થવાર્તિકમાં (૪.૪૨) બંનેનું “સ્માત અસ્તિ એવ જીવ' આ એક જ ઉદાહરણ આપ્યું છે. તેની સકલ-વિકલાદેશતા સમજાવતાં તેમણે લખ્યું છે કે – જ્યાં “અસ્તિ' શબ્દ દ્વારા અખંડ વસ્તુ સમગ્રભાવે ગ્રહણ કરી લેવામાં આવે તે સકલાદેશ છે અને જ્યાં “અસ્તિ' શબ્દ દ્વારા અસ્તિત્વ ધર્મનું પ્રધાનપણે અને બાકીના ધર્મોનું ગૌણરૂપે ભાન થાય તે વિકલાદેશ છે. જો કે બંને વાક્યોમાં સમગ્ર વસ્તુ ગૃહીત થાય છે પરંતુ સકલાદેશમાં બધા ધર્મ અર્થાત પૂરો ધર્મી એકભાવે ગૃહીત થાય છે જ્યારે વિકલાદેશમાં એક જ ધર્મ મુખ્યપણે ગૃહત થાય છે. અહીં આ પ્રશ્ન સહજ ઊઠી શકે છે કે “જ્યારે સકલાદેશનો પ્રત્યેક ભંગ સમગ્ર વસ્તુનું ગ્રહણ કરે છે ત્યારે સકલાદેશના સાત ભંગોમાં પરસ્પર ભેદ શું રહ્યો ?' આનું સમાધાન આ પ્રમાણે છે – જો કે બધા ભાગોમાં પૂરી વસ્તુ ગૃહીત થાય છે એ સાચું, પરંતુ સ્વાદતિ ભંગમાં તે અસ્તિત્વ ધર્મ દ્વારા ગૃહીત થાય છે અને સ્યાદ્ નાસ્તિ આદિ ભંગોમાં નાસ્તિત્વ આદિ ધર્મો દ્વારા ગૃહીત થાય છે. તેમનામાં ગૌણમુખ્યભાવ પણ એટલો જ છે કે જ્યાં “અસ્તિ' શબ્દનો પ્રયોગ છે ત્યાં “અસ્તિ' આ શાબ્દિક પ્રયોગની જ મુખ્યતા છે, ધર્મની મુખ્યતા નથી. શેષ ધર્મોની ગૌણતા પણ એટલી જ છે કે તેમનો તે વખતે શાબ્દિક પ્રયોગ થયો નથી. કાલ આદિની દૃષ્ટિએ ભેદભેદનું કથન
પ્રથમ ભંગમાં દ્રવ્યાર્થિક પ્રધાન હોવાથી “અસ્તિ' શબ્દનો પ્રયોગ છે અને તે જ રૂપે સમસ્ત વસ્તુનું ગ્રહણ છે. બીજા ભંગમાં પર્યાયાર્થિક પ્રધાન હોવાથી “નાસ્તિ શબ્દનો પ્રયોગ છે અને તે જ રૂપમાં પૂરી વસ્તુનું ગ્રહણ કરવામાં આવે છે. જેમ કોઈ ચોરસ યા ચાર છેડાવાળા કાગળને આપણે ક્રમશઃ ચાર છેડાઓ પકડીને ઉપાડીશું તો હર વાર ઉપડશે તો પૂરો કાગળ પરંતુ ઉપાડવાનો ઢગ બદલાતો જશે તેમ સકલાદેશના ભગોમાં પ્રત્યેક દ્વારા ગ્રહણ તો પૂરી વસ્તુનું થાય છે પરંતુ તે ભગોનો ક્રમ બદલાતો જાય છે. વિકલાદેશમાં તે જ ધર્મ મુખ્યપણે ગૃહીત થાય છે અને બાકીના ધર્મો ગૌણ બની જાય છે. જ્યારે દ્રવ્યાર્થિક નયની વિવેક્ષા હોય છે ત્યારે સમસ્ત ગુણોમાં અમેદવૃત્તિ તો સ્વતઃ થઈ જાય છે, પરંતુ પર્યાયાર્થિક નયની વિવેક્ષા હોતાં ગુણો અને ધર્મોમાં કાલ આદિની દષ્ટિએ અભેદોપચાર કરીને સમસ્ત વસ્તુનું ગ્રહણ કરી લેવામાં આવે છે. કાલ, આત્મરૂપ, અર્થ, સંબંધ, ઉપકાર, ગુણિદેશ, સંસર્ગ અને શબ્દ આ આઠ દૃષ્ટિઓ દ્વારા ગુણાદિમાં અભેદનો ઉપચાર કરવામાં આવે છે. જે કાલ એક ગુણનો છે. તે જ અન્ય અશેષ ગુણોનો છે, તેથી કાલની દૃષ્ટિએ તેમનાનાં અભેદનો ઉપચાર થઈ જાય છે. જે એક ગુણનું