________________
નયવિચાર
૩૫૩ દોરામાં પરોવવામાં ન આવ્યા હોય, પરસ્પર ઘટક ન હોય તો “રત્નાવલી' સંજ્ઞા પામતા નથી તેમ પોતાના નિયત વાદનો આગ્રહ રાખનારા પરસ્પર નિરપેક્ષ નયો સમપણાને પામી શકતા નથી, પછી ભલે ને તે પોતપોતાના પક્ષ માટે ગમે તેટલા મહત્ત્વના કેમ ન હોય. જે રીતે તે જ મણિઓ એક દોરામાં પરોવાઈને “રત્નાવલી યા “રત્નાહાર' બની જાય છે તેવી જ રીતે બધા નયો પરસ્પરસાપેક્ષ બનીને સમ્યપણાને પ્રાપ્ત કરે છે, સુનય બની જાય છે. અંતમાં આચાર્ય સિદ્ધસેન કહે છે –
जे वयणिज्जवियप्पा संजुजंतेसु होति एएसु । સા સમયપvળવા તિસ્થયરાસીયા મUTI | સન્મતિતર્ક, ૧.૫૩. જે વચનવિકલ્પરૂપ નયો પરસ્પર સમ્બદ્ધ બનીને સ્વવિષયનું પ્રતિપાદન કરે છે તે તેમની સ્વસમયની પ્રજ્ઞાપના છે તથા અન્ય નિરપેક્ષવૃત્તિ તીર્થંકરની આસાદના છે, અવહેલના છે.
આચાર્ય કુન્દ્રકુન્દ આ તત્ત્વને અતિ માર્મિક રીતે સમજાવે છે - दोण्ह वि णयाण भणियं जाणइ णवरं तु समयपडिबद्धो । સુપર નિત શિવ વિપરિણીળો // સમયસાર, ગાથા ૧૪૩.
સ્વસમથી વ્યક્તિ બન્ને નયોના વક્તવ્યને જાણે તો છે પરંતુ કોઈ એક નયનો તિરસ્કાર કરીને બીજા નયના પક્ષને ગ્રહણ કરતી નથી. તે એક નયને દ્વિતીયસાપેક્ષરૂપે જ ગ્રહણ કરે છે.
જ્યારે વસ્તુ અનન્તધર્માત્મક છે ત્યારે સ્વભાવતઃ એક એક ધર્મને ગ્રહણ કરનારા અભિપ્રાયો પણ અનન્ત જ હોય, ભલે પછી તેમના વાચક પૃથક પૃથફ શબ્દો ન મળે, પરંતુ જેટલા શબ્દો છે તેમના વાચ્ય ધર્મોને જાણનારા તેટલા અભિપ્રાયો તો અવશ્ય હોય છે જ. અર્થાત અભિપ્રાયોની સંખ્યાની અપેક્ષાએ આપણે નયોની સીમા ભલે ન બાંધી શકીએ પરંતુ એ તો સુનિશ્ચિતપણે કહી જ શકીએ કે જેટલા શબ્દો છે તેટલા તો નયો અવશ્ય હોઈ શકે છે, કેમ કે કોઈ પણ વચનમાર્ગ અભિપ્રાય વિના હોઈ જ શકતો નથી. એવા અનેક અભિપ્રાયો તો સંભવે છે કે જેમના વાચક શબ્દો ન મળે પરંતુ એવો એક પણ સાર્થક શબ્દ ન હોઈ શકે કે જે વિના અભિપ્રાય પ્રયોજાતો હોય. તેથી સામાન્યપણે જેટલા શબ્દો છે તેટલા નયો છે.
આ વિધાન એ માનીને કરવામાં આવે છે કે પ્રત્યેક શબ્દ વસ્તુના કોઈ ને કોઈ
૧. નાવા વયાપા તાવા હાંતિ થવાય | સન્મતિતર્ક, ૩.૪૭.