________________
૩૨૧
પ્રમાણમીમાંસા છૂટકારો મેળવવાની ઇચ્છાથી તેમને કહે કે “બાળકો, નદીના કિનારે લાડવા વહેંચાય છે, દોડો'. આવા રાગ-દ્વેષ-મોહયુક્ત વાક્યો આગમાભાસ કહેવાય છે. સગાભાસ
મુખ્યપણે પ્રમાણના બે ભેદ કરવામાં આવ્યા છે - એક ભેદ પ્રત્યક્ષ અને બીજો પરોક્ષ. તેનું ઉલ્લંઘન કરવું અર્થાત્ એક યા ત્રણ આદિ પ્રમાણો માનવા એ સંખ્યાભાસ છે, કેમ કે એક પ્રમાણ (પ્રત્યક્ષ માત્ર) માનવાને કારણે ચાર્વાકો કેવળ પ્રત્યક્ષ પ્રમાણથી જ ન તો પરલોક આદિનો નિષેધ કરી શકે છે, કે ન તો પરબુદ્ધિ આદિનું જ્ઞાન કરી શકે છે, અરે ત્યાં સુધી કે ન તો સ્વયં પ્રત્યક્ષની પ્રમાણતાનું સમર્થન કરી શકે છે. આ બધા કાર્યો માટે ચાવક અનુમાન પ્રમાણને માનવું જ પડે.
આ જ રીતે બૌદ્ધ, સાગ, નૈયાયિક, પ્રભાકર અને જૈમિનીય તેમના દ્વારા સ્વીકૃત • બે, ત્રણ, ચાર, પાંચ અને છ પ્રમાણો દ્વારા વ્યાપ્તિનું જ્ઞાન કરી શકતા નથી. તેમણે
વ્યાતિગ્રાહી તર્કને સ્વતન્ત્ર પ્રમાણ માનવું જ જોઈએ. આ રીતે તર્કને અતિરિક્ત પ્રમાણ માનતાં તેમની નિશ્ચિત પ્રમાણસખ્યા બગડી જાય છે.
નૈયાયિકના ઉપમાનનો સાદડ્યુપ્રત્યભિજ્ઞાનમાં, પ્રભાકરની અર્થપત્તિનો અનુમાનમાં અને જૈમિનીયના અભાવપ્રમાણનો યથાસંભવ પ્રત્યક્ષાદિ પ્રમાણોમાં જ સમાવેશ થઈ જાય છે. તેથી જેટલાં પણ વિશદ જ્ઞાનો છે તે બધાને, જેમનામાં એકદેશ વિશદ ઇન્દ્રિયપ્રત્યક્ષ અને માનસપ્રત્યક્ષ પણ સામેલ છે, પ્રત્યક્ષપ્રમાણમાં તથા સમસ્ત અવિશદ જ્ઞાનોનો, જેમનામાં સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ છે, પરોક્ષપ્રમાણમાં સમાવેશ કરીને પ્રત્યક્ષ અને પરોક્ષ આ બે જ ભેદોનો સ્વીકાર કરવો જોઈએ. તેમના અવાજોર ભેદ પણ પ્રતિભાસભેદ અને આવશ્યકતાના આધારે જ કરવા જોઈએ. વિષયાંભાસ
પ્રમાણનો વિષય તો એક જ સામાન્યવિશેષાત્મક પદાર્થ હોઈ શકે છે એ અમે અગાઉ બતાવી દીધું છે. જો કેવળ સામાન્યને, કે કેવળ વિશેષને કે સામાન્ય અને વિશેષ બન્નેને સ્વતંત્ર સ્વતન્ત્રપણે પ્રમાણનો વિષય માનવામાં આવે તો એ બધા વિષયાભાસો છે, કેમ કે પદાર્થની સ્થિતિ સામાન્યવિશેષાત્મક અને ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક રૂપમાં જ ઉપલબ્ધ થાય છે. પૂર્વપર્યાયનો ત્યાગ અર્થાત્ નાશ,
૧. એજન, ૬.૫૫-૬૦. ૨. વિષયમાન: સામાન્ય વિશેષો દ્રયં વા વતન્ત્રમ્ એજન, ૬.૬૧-૬૫.