________________
પ્રમાણમીમાંસા
૩૧૫ અન્યથાનુપપન્નત્વના અભાવમાં એક જ હેત્વાભાસ હોઈ શકે છે. તે પોતે જ લખે છે કે વસ્તુતઃ એક જ અસિદ્ધ હેત્વાભાસ છે. અન્યથાનુપપત્તિનો અભાવ અનેક રીતે થાય છે, તેથી વિરુદ્ધ, અસિદ્ધ, સંદિગ્ધ અને અકિંચિકર ભેદથી ચાર હેતાભાસો પણ બની શકે છે. એક સ્થાને તો તેમણે વિરુદ્ધ, અસિદ્ધ અને સદિગ્ધને અકિંચિત્કરનો વિસ્તાર માત્ર કહ્યો છે. તેમના મતમાં હેત્વાભાસોની સંખ્યાનો કોઈ આગ્રહ નથી, તેમ છતાં પણ તેમણે જે ચાર હેત્વાભાસોનો નિર્દેશ કર્યો છે તેમનાં લક્ષણ નીચે પ્રમાણે છે.
(૧) અસિદ્ધ – “સર્વથાત્યથા” (પ્રમાણસંગ્રહ શ્લોક ૪૮) સર્વથા પક્ષમાં ન મળતો હોય અથવા જેનો સાધ્યની સાથે સર્વથા અવિનાભાવ ન હોય તે, જેમ કે શબ્દ અનિત્ય છે, ચાક્ષુષ હોવાથી. અસિદ્ધના બે પ્રકાર છે - એક અવિદ્યમાનસત્તાક અર્થાત્ સ્વરૂપાસિદ્ધ અને બીજો અવિદ્યમાનનિશ્ચય અર્થાત્ સદિગ્ધાસિદ્ધ. અવિદ્યમાનસત્તાક – જેમ કે “શબ્દ પરિણામી છે, કેમ કે તે ચાક્ષુષ છે.” આ અનુમાનમાં ચાક્ષુષત્વ હેતુ શબ્દમાં સ્વરૂપથી જ અસિદ્ધ છે. અવિદ્યમાનનિશ્ચય - મૂર્ખ વ્યક્તિ ધુમાડા અને વરાળનો વિવેક ન કરીને જ્યારે કીટલીમાંથી નીકળતી વરાળને ધુમાડો માની તેમાં અગ્નિનું અનુમાન કરે છે, ત્યારે સદિગ્ધાસિદ્ધ હેત્વાભાસ બને છે. અથવા સાંખ્ય જો શબ્દને પરિણામી સિદ્ધ કરવા માટે કૃતકત્વ હેતુનો પ્રયોગ કરે તો તે પણ સદિગ્ધાસિદ્ધ છે, કેમ કે સાંખ્યમતમાં આવિર્ભાવ અને તિરોભાવ શબ્દો જ પ્રસિદ્ધ છે, કૃતકત્વ નથી.
ન્યાયસાર (પૃ.૮) આદિમાં વિશેષ્યાસિદ્ધ, વિશેષણાસિદ્ધ, આશ્રયાસિદ્ધ, આશ્રર્યકદેશાસિદ્ધ, વ્યર્થવિશેષ્યાસિદ્ધ, વ્યર્થવિશેષણાસિદ્ધ, વ્યધિકરણાસિદ્ધ અને ભાગાસિદ્ધ આ અસિદ્ધના આઠ ભેદોનું વર્ણન છે. તે આઠમાંથી બર્થવિશેષણ સુધીના છ ભેદો તે તે રૂપે સત્તાની અવિદ્યમાનતાના કારણે હોવાથી સ્વરૂપાસિદ્ધમાં જ અન્તર્ભાવ પામે છે. ભાગાસિદ્ધ આ છે – “શબ્દ અનિત્ય છે કેમ કે તે પ્રયત્નનો અવિનાભાવી છે. આમાં અવિનાભાવ મળે છે, તેથી આ સદ્ હેતુ છે. હા, આ અવશ્ય સાચું છે કે જેટલા શબ્દોમાં તે મળશે તેટલામાં જ તે અનિત્યત્વ સિદ્ધ કરશે. જે શબ્દો પ્રયત્નાનત્તરીયક હશે તે તો અનિત્ય હોવાના જ. વ્યધિકરણસિદ્ધ પણ અસિદ્ધ હેત્વાભાસમાં ન ગણાવો જોઈએ, કેમ કે “એક મુહૂર્ત પછી શકટનો ઉદય १. अन्यथासंभवाभावभेदात् स बहुधा स्मृतः ।
વિરુદ્ધસિદ્ધપરિવિચિવતો ન્યાયવિનિશ્ચય, ૨.૧૯૫. ૨. શ્ચિRવનું સન્ તનુ વયં શિરામ ન્યાયવિનિશ્ચય, ૨.૩૭૦.