________________
પ્રમાણમીમાંસા
૨૯૯ અર્થનું જ્ઞાન આદિ નિમિત્તથી થતી લક્ષણાથી અર્થબોધનો નિર્વાહ થઈ જાય છે. આ રીતે એક વિચિત્ર સાંપ્રદાયિક ભાવનાને વશ થઈને શબ્દોમાં સાધુત્વ જાતિ અને અસાધુત્વ જાતિ કાયમ કરી દેવામાં આવી. ઉત્તર પક્ષ
પરંતુ જ્યારે અન્વય અને વ્યતિરેક દ્વારા સંસ્કૃત શબ્દોની જેમ પ્રાકૃત અને અપભ્રંશ શબ્દોથી સ્વતપણે અર્થપ્રતીતિ અને લોકવ્યવહાર થતાં દેખાય છે ત્યારે કેવળ સંસ્કૃત શબ્દોને જ સાધુ અને વાચકશક્તિવાળા દર્શાવવા એ પક્ષમોહનું જ પરિણામ છે. જે લોકોએ સંસ્કૃત શબ્દોને સ્વપ્નમાં પણ સાંભળ્યા નથી તેઓ નિબંધપણે પ્રાકૃત આદિ ભાષાના શબ્દોથી જ સીધો વ્યવહાર કરે છે. તેથી તેમનામાં વાચકશક્તિ સ્વસિદ્ધ માનવી જોઈએ. જેમની વાચકશક્તિનું તેમને ભાન જ નથી તે શબ્દોના સ્મરણને માનીને અર્થબોધની વાત કરવી એ વ્યવહારવિરુદ્ધ તો છે જ પરંતુ સાથે સાથે કલ્પનારંગત પણ નથી. પ્રમાદ અને અશક્તિથી પ્રાકૃત શબ્દોનું ઉચ્ચારણ તે લોકોની બાબતમાં માની શકાય જે લોકો સંસ્કૃત શબ્દોને ધર્મ માને છે, પરંતુ જે અસંખ્ય વ્યવહારી લોકોની ભાષા જ પ્રાકૃત અને અપભ્રંશરૂપ લોકભાષા છે અને યાવનજીવન જેઓ તેનાથી જ પોતાની લોકયાત્રા ચલાવે છે તેમના માટે પ્રમાદ અને અશક્તિથી ભાષાવ્યવહારની કલ્પના કરવી એ અનુભવવિરુદ્ધ છે. એટલું જ નહિ પણ ક્યાંક ક્યાંક તો જ્યારે બાળકને સંસ્કૃત શિખવાડવામાં આવે છે ત્યારે “વૃક્ષ' “અગ્નિ' આદિ સંસ્કૃત શબ્દોનો અર્થબોધ “રૂખ' “આગી આદિ અપભ્રંશ શબ્દોથી જ કરાવવામાં આવે છે.'
અનાદિપ્રયોગ, વિશિષ્ટપુરુષપ્રણીતતા, બાધારહિતતા, વિશિષ્ટાર્થવાચકતા અને પ્રમાણાન્તરસંવાદ આદિ ધર્મો સંસ્કૃતની જેમ પ્રાકૃત આદિ શબ્દોમાં પણ મળે છે.
જો સંસ્કૃત શબ્દોના ઉચ્ચારણથી જ ધર્મ થતો હોય તો અન્ય વ્રત, ઉપવાસ આદિ ધર્માનુષ્ઠાન વ્યર્થ બની જાય.
પ્રાકૃત શબ્દ સ્વયં પોતાની સ્વાભાવિકતા અને સર્વવ્યવહારમૂલકતાને કહે છે. સંસ્કૃતનો અર્થ છે સંસ્કાર કરાયેલો અને પ્રાકૃતનો અર્થ છે સ્વાભાવિક. કોઈ
૧. જુઓ ન્યાયકુમુદચન્દ્ર, પૃ. ૭૬૨થી આગળ. २. म्लेच्छादीनां साधुशब्दपरिज्ञानाभावात् कथं तद्विषया स्मृति: ? तदभावे न
કોડર્થપ્રતિપત્તિ: ચાતા તત્ત્વોપદ્ધવસિંહ, પૃ.૧૨૪. - ૩. વિપર્યયનાન્ન.... વાદન્યાયટીકા, પૃ.૧૦૫.