________________
પ્રમાણમીમાંસા
સમસ્ત શબ્દવ્યવહારનો ઉચ્છેદ જ થઈ જાય. અમે બધા શબ્દોને અર્થાવિનાભાવી નથી કહેતા, પરંતુ જેમનો વક્તા આપ્ત છે તે શબ્દો કદી પણ અર્થના વ્યભિચારી હોઈ શકતા નથી એટલો જ અમારો અભિપ્રાય છે, મત છે.
૨૯૭
પ્રાકૃત-અપભ્રંશ શબ્દોની અર્થવાચકતા (પૂર્વપક્ષ)
આમ ‘શબ્દો અર્થના વાચક છે' આ વસ્તુ સામાન્યતઃ સિદ્ધ થવા છતાં પણ મીમાંસકો અને વૈયાકરણોનો એ આગ્રહ છે કે બધા શબ્દોમાં વાચકશક્તિ નથી, પરંતુ સંસ્કૃત શબ્દો જ સાધુ છે અને તેમનામાં જ વાચકશક્તિ છે.'પ્રાકૃત, અપભ્રંશ આદિ શબ્દો અસાધુ છે, તેમનામાં અર્થપ્રતિપાદનની શક્તિ નથી. જ્યાં ક્યાંય પણ પ્રાકૃત યા અપભ્રંશ શબ્દો દ્વારા અર્થપ્રતીતિ થતી દેખાય છે ત્યાં તે અર્થપ્રતીતિ શક્તિભ્રમથી જ થાય છે અથવા તે પ્રાકૃતાદિ અસાધુ શબ્દોને સાંભળી સૌપ્રથમ સંસ્કૃત સાધુ શબ્દોનું સ્મરણ થાય છે અને પછી તેમનાથી અર્થબોધ થાય છે.
ર
આ રીતે શબ્દરાશિના એક મોટા ભાગને વાચકશક્તિથી શૂન્ય કહેનારાઓના આ મતમાં એક વિચિત્ર સામ્પ્રદાયિક ભાવના કામ કરી રહી છે. આ મતવાદીઓ સંસ્કૃત શબ્દોને સાધુ કહીને અને તેમનામાં જ વાચકશક્તિ માનીને ચૂપ રહેતા નથી, પરંતુ આગળ વર્ષીને સાધુ શબ્દના ઉચ્ચારણને ધર્મ અને પુણ્ય માને છે” અને તેને જ કર્તવ્ય વિધિમાં સામેલ કરે છે તથા અસાધુ અપભ્રંશ શબ્દોના ઉચ્ચારણને શક્તિશૂન્ય જ નહિ પણ પાપનું કારણ પણ કહે છે. આનું મૂળ કારણ છે સંસ્કૃતમાં રચવામાં આવેલા વેદોને ધર્મ અને પ્રમાણ માનવા તથા પ્રાકૃત પાલી આદિ ભાષાઓમાં રચવામાં આવેલા જૈન, બૌદ્ધ આદિ આગમોને અધર્મ અને અપ્રમાણ ઘોષિત કરવા. સ્ત્રી અને શૂદ્રોને ધર્મના અધિકારોથી વંચિત રાખવાના આશયથી તેમના માટે સંસ્કૃત શબ્દોનું ઉચ્ચારણ નિષિદ્ધ કરી દેવામાં આવ્યું. નાટકોમાં સ્રી ૧. વાવ્ય ધ્વ સાધવો નમાવ્યાત્ય: કૃતિ સાધુત્વરૂપનિયમ: । શાસ્રદીપિકા,
૧.૩.૨૭.
૨.
न चापभ्रंशानामवाचकतया कथमर्थावबोध इति वाच्यम्, शक्तिभ्रमवतां बाधकाभावात् । विशेषदर्शिनस्तु द्विविधाः तत्तद्वाचकसंस्कृतविशेषज्ञानवन्तः तद्विकलाश्च । तत्र
આદ્યાનાં સાધુસ્મરĪદ્વારા અર્થનોધ: । શબ્દૌસ્તુભ, પૃ.૩૨.
3. इत्थं च संस्कृत एव शक्तिसिद्धौ शक्यसम्बन्धरूपवृत्तेरपि तत्रैव भावात् तत्त्वं સાધુત્વમ્ । વૈયાકરણભૂષણ, પૃ. ૨૪૯.
૪. શિÈમ્ય આળમાત્ સિદ્ધા: સાધવો ધર્મસાધનમ્ । વાક્યપદીય, ૧.૨૬.
-