________________
પ્રમાણમીમાંસા
૨૯૩ કારણે પ્રમાણ જ હોવું જોઈએ. હા, જે શબ્દજ્ઞાનમાં વિસંવાદ યા સંશય આદિ મળે તે અનુમાનાભાસ અને પ્રત્યક્ષાભાસની જેમ શબ્દજ્ઞાનાભાસ હોઈ શકે છે, પરંતુ એટલા માત્રથી બધાં શબ્દશાનોને અપ્રમાણકોટિમાં નાખી શકાય નહિ. કેટલાક શબ્દોને અર્થવ્યભિચારી જોઈને બધા શબ્દોને અપ્રમાણ ઠરાવી શકાય નહિ.'
જો શબ્દ બાહ્યર્થમાં પ્રમાણ ન હોય તો ક્ષણિકત્વ આદિના પ્રતિપાદક શબ્દ પણ પ્રમાણ ન હોઈ શકે. અને ત્યારે બૌદ્ધ ખુદ અદષ્ટ નદી, દેશ અને પર્વત આદિનું અવિસંવાદી જ્ઞાન શબ્દો દ્વારા કેવી રીતે કરી શકશે ? જો હેતુવાદરૂપ (પરાર્થનુમાનરૂપ) શબ્દ દ્વારા અર્થનો નિશ્ચય ન થાય તો સાધન અને સાધનાભાસની વ્યવસ્થા કેવી રીતે થાય? તેવી જ રીતે આતના વચન દ્વારા જો અર્થનો બોધ ન થાય તો આપ્ત અને અનાનો ભેદ કેવી રીતે સિદ્ધ થાય ? જો પુરુષોના અભિપ્રાયોમાં વિચિત્રતા હોવાના કારણે બધા શબ્દોને અર્થવ્યભિચારી ઠરાવી દેવામાં આવે તો સુગતના સર્વશાસ્તત્વમાં કેવી રીતે વિશ્વાસ કરી શકાય ? જો અર્થવ્યભિચાર હોવાના કારણે શબ્દ અર્થમાં પ્રમાણ ન હોય તો અન્ય અર્થની વિવક્ષામાં અન્ય શબ્દનો પ્રયોગ જોવામાં આવતો હોવાથી વિવક્ષા વ્યભિચાર પણ થાય છે એટલે શબ્દને વિવક્ષામાં પણ પ્રમાણ કેવી રીતે કહી શકાય ? જેવી રીતે સુવિવેચિત વ્યાપ્ય અને કાર્ય પોતાના વ્યાપક અને કારણનું ઉલ્લંઘન કરી શકતાં નથી તેવી જ રીતે સુવિવેચિત શબ્દ પણ અર્થનો વ્યભિચારી હોઈ શકતો નથી. વળી, શબ્દનો વિવક્ષાની સાથે કોઈ અવિનાભાવ પણ નથી. કેમ કે શબ્દ, વર્ણ કે પદ ક્યાંક અવાંછિત અર્થને પણ કહે છે અને ક્યાંક વાંછિત અર્થને પણ નથી કહેતાં.”
જો શબ્દો વિવક્ષામાત્રના વાચક હોય તો શબ્દોમાં સત્યત્વ અને મિથ્યાત્વની વ્યવસ્થા બની શકશે નહિ, કેમ કે બન્ને પ્રકારના શબ્દો પોતપોતાની વિવક્ષાનું અનુમાન કરાવે જ છે. શબ્દોમાં સત્ય અને અસત્યની વ્યવસ્થાનો મૂળ આધાર અર્થની પ્રાપ્તિ અને અપ્રાપ્તિ જ બની શકે છે. જે શબ્દનો અર્થ પ્રાપ્ત થાય તે સત્ય અને જેનો અર્થ પ્રાપ્ત ન થાય તે મિથ્યા હોય છે. જે શબ્દોનો બાહ્ય અર્થ પ્રાપ્ત નથી
૧. લધીયસ્રય, શ્લોક ર૭. ૨. એજન, શ્લોક ૨૬. ૩. ખાસ તુવાવર્ગ વહિાથવિનિશ્ચયે ..
અત્યંત વ્યવસ્થા વધ સાધને તરતા ૩: લઘયઢય, શ્લોક ૨૮. ૪. એજન, શ્લોક ૨૯. ૫. એજન, શ્લોક ૬૪-૬૫.