________________
પ્રમાણમીમાંસા
૨૬૭ વ્યાપ્ય અને વ્યાપક
વ્યાતિક્રિયાનું જે કર્મ હોય છે અર્થાત્ જે વ્યાપ્ત થાય છે તે વ્યાપ્ય છે અને જે વ્યાતિક્રિયાનો કર્તા હોય છે અર્થાત્ જે વ્યાપ્ત કરે છે તે વ્યાપક છે. ઉદાહરણથી સમજીએ. અગ્નિ ધૂમને વ્યાપ્ત કરે છે અર્થાત જ્યાં પણ ધૂમ હશે ત્યાં અગ્નિ અવશ્ય મળશે, પરંતુ ધૂમ અગ્નિને વ્યાપ્ત કરતો નથી કેમ કે નિધૂમ પણ અગ્નિ મળે છે. આપણે કહી શકતા નથી કે જ્યાં પણ અગ્નિ હશે ત્યાં ધૂમ અવશ્ય હશે કેમ કે અરિના અંગારમાં ધૂમ હોતો નથી. વ્યાપક ‘તરત’ અર્થાત્ હેતુનો સદ્ભાવ અને હેતુનો અભાવ ધરાવતાં બન્ને સ્થળોએ મળે છે જ્યારે વ્યાપ્ય કેવળ તષ્ઠિ હોય છે અર્થાત્ સાધ્ય હોય તો જ હોય છે, સાધ્યના અભાવમાં કદાપિ હોતો નથી. તેથી સાધ્ય વ્યાપક છે અને સાધન વ્યાપ્ય. - વ્યાપ્તિ વ્યાપ્ય અને વ્યાપક બન્નેમાં રહે છે. તેથી જ્યારે વ્યાપકના ધર્મરૂપે વ્યાપ્તિની વિવેક્ષા હોય છે ત્યારે તેનું કથન “વ્યાપકનું વ્યાપ્ય ના હોતા હોવું જ, ન હોવું કદી નહિ' આ રૂપમાં થાય છે અને જ્યારે વ્યાપ્યના ધર્મરૂપે વિવક્ષિત હોય છે ત્યારે “વ્યાખનું વ્યાપકના હોતાં જ હોવું, વ્યાપકના અભાવમાં કદી ન હોવું આ રૂપમાં તેનું કથન થાય છે.
વ્યાપક ગમ્ય હોય છે અને વ્યાપ્ય ગમક, કેમ કે વ્યાપ્ય હોતાં વ્યાપકનું મળવું નિશ્ચિત છે, પરંતુ વ્યાપક હોતાં વ્યાખનું અવશ્ય હોવું જ નિશ્ચિત નથી, તે હોય પણ ખરું અને ન પણ હોય. વ્યાપક અધિકદેશવર્તી હોય છે જ્યારે વ્યાપ્ય અલ્પષેત્રવર્તી હોય છે. આ વ્યવસ્થા અન્વયવ્યાપિની છે. વ્યતિરેકવ્યાપ્તિમાં સાધ્યાભાવ વ્યાપ્ય હોય છે અને સાધનાભાવ વ્યાપક હોય છે. જ્યાં જ્યાં સાધ્યનો અભાવ હોય ત્યાં ત્યાં સાધનનો અભાવ અવશ્ય હોય જ અર્થાત્ સાધ્યાભાવને સાધનાભાવે વ્યાપ્ત કર્યો છે. પરંતુ જ્યાં સાધનાભાવ હોય ત્યાં સાધ્યનો અભાવ હોય જ એવો નિયમ નથી કેમ કે નિધૂમ સ્થળમાં પણ અગ્નિ મળે છે. તેથી વ્યતિરેકવ્યાપ્તિમાં સાધ્યાભાવ વ્યાપ્ય અર્થાત્ ગમક હોય છે અને સાધનાભાવ વ્યાપક અર્થાત્ ગમ્ય હોય છે. અકસ્માત્ ધૂમદર્શનથી થતું અચિજ્ઞાન પ્રત્યક્ષ નથી
આચાર્ય પ્રજ્ઞાકર અસ્માત ધુમાડો જોઈને થતા અગ્નિજ્ઞાનને અનુમાન ન ૧. ચાર્થાિપવા તત્ર માવ ઇવ, વ્યારા ૪ તવ માવદ પ્રમાણવાર્તિકસ્વવૃત્તિ ૩.૧. ૨. વ્યાપ તવન્નિષ્ઠ વ્યાણં તત્રિકમેવ ૪