________________
૫૦
- જૈનદર્શન અનાદિસિદ્ધ છે. આવું નિત્ય જ્ઞાન બીજા આત્માઓમાં સંભવતું નથી. નિષ્કર્ષ એ કે વર્તમાન વેદ, અપૌરુષેય હો કે અનાદિસિદ્ધ ઈશ્વરની કૃતિ, શાશ્વત છે અને ધર્મની બાબતમાં પોતાની નિબંધ સત્તા ધરાવે છે. અન્ય મહર્ષિઓએ રચેલી મૃતિઓ વગેરે જો વેદાનુસારિણી હોય તો જ પ્રમાણ છે, અન્યથા પ્રમાણ નથી: આનો અર્થ એ કે પ્રમાણતાની જ્યોતિ વેદની ખુદની છે.
લૌકિક વ્યવહારમાં શબ્દની પ્રમાણિતાનો આધાર નિર્દોષતા છે. આ નિર્દોષતા બે જ પ્રકારે આવે છે - એક તો વક્તા ગુણવાન હોવાથી અને બીજું વક્તા જ ન હોવાથી. આચાર્ય કુમારિ સ્પષ્ટ લખે છે કે - શબ્દમાં દોષોની ઉત્પત્તિ વક્તાથી થાય છે. શબ્દમાં દોષોની ઉત્પત્તિનો અભાવ ક્યાંક તો વક્તા ગુણવાન હોવાથી થઈ જાય છે કેમ કે વક્તામાં યથાર્થવેદિત્વ આદિ ગુણોથી દોષોનો અભાવ હોતાં તે દોષો શબ્દમાં આવી પોતાનું સ્થાન જમાવી શકતા નથી. બીજું, વક્તાનો ખુદનો જ અભાવ હોવાના કારણે નિરાશ્રય દોષ રહી શકતા નથી. પુરુષો પ્રાયઃ અમૃતવાદી હોય છે. તેથી તેમનાં વચનોને ધર્મની બાબતમાં પ્રમાણ માની શકાય નહિ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ દેવ વેદદેહ હોવાના કારણે જ પ્રમાણ છે. અને તેનું પરિણામ એ આવ્યું કે વેદથી જન્મસિદ્ધ વર્ણવ્યવસ્થા તથા વર્ગપ્રાપ્તિ માટે અજમેધ, અશ્વમેધ, ગોમેધ, એટલે સુધી કે નરમધ આદિનો જોરદાર પ્રચાર થયો. આત્માની આત્મત્તિક શુદ્ધિની સંભાવના ન હોવાથી જીવનનું લક્ષ્ય ઐહિક સ્વર્ગાદિ વિભૂતિઓની પ્રાપ્તિ સુધી જ સીમિત હતું. શ્રેયની અપેક્ષાએ પ્રેયમાં જ જીવનની સફળતા માની લેવામાં આવી હતી. નિર્મલ આત્મા સ્વયં પ્રમાણ
પરંતુ ભગવાન મહાવીરે રાગ-દ્વેષ આદિના ક્ષયનું તારતમ્ય જોઈને આત્માની પૂર્ણ વીતરાગ શુદ્ધ અવસ્થાને તથા જ્ઞાનની પરિપૂર્ણ નિર્મલ દશાને અસંભવ ન માની અને તેમણે પોતે જ પોતાની સાધના દ્વારા નિર્મલ જ્ઞાન તથા વીતરાગતા પ્રાપ્ત કરી. તેમનો સિદ્ધાંત હતો કે પૂર્ણજ્ઞાની વીતરાગ પોતાના નિર્મલ જ્ઞાનથી ધર્મનો સાક્ષાત્કાર કરી શકે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ તથા ભાવની પરિસ્થિતિ
१. शब्दे दोषोद्भवस्तावद् वक्त्रधीन इति स्थितम् ।
तदभाव: क्वचित् तावद् गुणवद्वक्तृकत्वत: ॥६२।। तद्गुणैरपकृष्टानां शब्दे संक्रान्त्यसंभवात् । યા વરમાવેન નયુષા નિયા: દ્રા મીમાંસાશ્લોકવાર્તિક, ચોદના.