________________
૧૦૧
લોકવ્યવસ્થા જગતના સ્વરૂપ અંગે બે પક્ષ
વિજ્ઞાનવાદ - જગતના સ્વરૂપ અંગે સ્થૂળરૂપે બે પક્ષો પહેલેથી જ પ્રચલિત રહ્યા છે. એક પક્ષ તો ભૌતિકવાદીઓનો હતો જે જગતને નક્કર સત્ય માનતો રહ્યો. બીજો પક્ષ વિજ્ઞાનવાદીઓનો હતો જે સંવિત્તિ યા અનુભવ સિવાય કોઈ બાહ્ય શેયની સત્તાને સ્વીકારવા નથી ઇચ્છતો. તેમના મતે બુદ્ધિ જ વિવિધ વાસનાઓના કારણે નાના રૂપમાં પ્રતિભાસિત થાય છે. બિશપ, બર્કલે, હ્યુમ, હેગલ આદિ પશ્ચિમી તત્ત્વવેત્તાઓ પણ સંવેદનાઓના પ્રવાહથી ભિન્ન સઘનું અસ્તિત્વ માનવા ઇચ્છતા નથી. જેવી રીતે સ્વપ્નમાં બાહ્ય પદાર્થોના અભાવમાં પણ અનેક પ્રકારનાં અર્થક્રિયાકારી દશ્યો ઉપસ્થિત થાય છે તેવી જ રીતે જાગૃતિ પણ એક લાંબુ સપનું છે. સ્વપ્નજ્ઞાનની જેમ જાગૃતજ્ઞાન પણ નિરાલંબન છે, કેવલ પ્રતિભા માત્ર છે. તેમના મતમાં માત્ર જ્ઞાનની જ પારમાર્થિક સત્તા છે. તેમનામાં પણ અનેક મતભેદ છે – (૧) વેદાન્તી એક નિત્ય અને વ્યાપક બ્રહ્મનું જ પારમાર્થિક અસ્તિત્વ સ્વીકારે છે.
આ બ્રહ્મ જ નાનાવિધ જીવાત્માઓ અને ઘટ-પટ આદિ બાહ્ય અર્થોના રૂપમાં પ્રતિભાસિત થાય છે. સંવેદનાદ્વૈતવાદીઓ ક્ષણિક પરમાણુરૂપ અનેક જ્ઞાનક્ષણોનું પૃથક પારમાર્થિક અસ્તિત્વ સ્વીકારે છે. તેમના મતે જ્ઞાનસત્તાનો જ પોતપોતાની વાસનાઓ
અનુસાર વિભિન્ન પદાર્થોના રૂપમાં ભાસિત થાય છે. (૩) એક જ્ઞાનસત્તાન માનનારા પણ સંવેદનાદ્વૈતવાદી છે.
બાહ્યર્થલોપની આ વિચારધારાનો આધાર એ જણાય છે કે પ્રત્યેક વ્યક્તિ પોતાની કલ્પના અનુસાર પદાર્થોમાં શબ્દસકેત કરીને વ્યવહાર કરે છે. ઉદાહરણાર્થ, એક પુસ્તકને જોઈને તે ધર્મના અનુયાયી તેને “ધર્મગ્રન્થ” સમજી પૂજ્ય માને છે, પુસ્તકાલયાધ્યક્ષ તેને અન્ય પુસ્તકોની જેમ એક “સામાન્ય પુસ્તક સમજે છે, તો દુકાનદાર તેને પસ્તીના ભાવે ખરીદી તેનાથી પડીકાં બાધે છે, ભગી તેને “કચરો સમજી વાળી નાખે છે અને ગાય-ભેંસ આદિ તેને “પુદગલોનો પુજ સમજી “ઘાસની જેમ ખાઈ જાય છે. હવે આપ વિચાર કરો કે એક પુસ્તકમાં ધર્મગ્રંથ, પુસ્તક, પસ્તી, કચરો અને એક ખાદ્ય આદિ સંજ્ઞાઓ તે તે વ્યક્તિના જ્ઞાનમાંથી જ આવી છે, અર્થાત્ ધર્મગ્રન્થ, પુસ્તક, પસ્તી આદિનો સદુભાવ તે १. अविभागोऽपि बुद्ध्यात्मा विपर्यासितदर्शनैः ।
પ્રાઢિપ્રદíવિનિમેવાનિવ તજે I પ્રમાણવાર્તિક, ૩.૪૩૫.
(ર)