________________
પ્રમાણમીમાંસા
૨૩૭ આદિમૂલક સમસ્ત જીવનવ્યવહાર સ્મરણને જ આભારી છે. સંસ્કૃતિ, સભ્યતા અને ઇતિહાસની પરંપરા સ્મરણના સૂત્ર દ્વારા જ આપણા સુધી આવી છે.
મૃતિને અપ્રમાણ કહેવાનું મૂળ કારણ તેનું ગૃહીતગ્રાહી હોવાનું બતાવવામાં આવે છે. તેની અનુભવપરતત્રતા પ્રમાણવ્યવહારમાં બાધક બને છે. અનુભવ જે પદાર્થને જે રૂપમાં જાણે છે સ્મૃતિ તેને તેનાથી અધિક રૂપમાં જાણતી નથી અને ન તો તેના કોઈ નવા અંશનો બોધ કરે છે. તે પૂર્વાનુભવની મર્યાદામાં જ સીમિત છે, એટલું જ નહિ પણ ક્યારેક ક્યારેક તો અનુભવથી કમની જ સ્મૃતિ થાય છે.
વૈદિક પરંપરામાં સ્મૃતિને સ્વતંત્ર પ્રમાણ ન માનવાનું એક જ કારણ છે અને તે એ કે મનુસ્મૃતિ અને યાજ્ઞવર્ચસ્કૃતિ આદિ સ્મૃતિઓ પુરુષવિશેષોએ રચી છે. જો એક પણ સ્થળે તેનું પ્રામાણ્ય સ્વીકારવામાં આવે તો વેદની અપૌરુષેયતા અને તેનું ધર્મવિષયક નિબંધ અન્તિમ પ્રામાણ્ય સમાપ્ત થઈ જાય. તેથી સ્મૃતિઓ ત્યાં સુધી પ્રમાણ છે જ્યાં સુધી તેઓ શ્રુતિને અનુસરે છે, અર્થાત્ શ્રુતિ સ્વતઃ પ્રમાણ છે અને સ્મૃતિઓમાં પ્રમાણતાની છાયા સ્મૃતિઓ શ્રુતિમૂલક હોવાથી જ પડી રહી છે. આ રીતે એક વાર સ્મૃતિઓમાં શ્રુતિપરતત્રતાના કારણે સ્વત:પ્રામાયનો નિષેધ થયો એટલે અન્ય વ્યાવહારિક સ્મૃતિઓમાં તે પરતત્રતાની છાપ અનુભવાધીન હોવાના કારણે બરાબર ચાલુ રહી અને એ વ્યવસ્થા થઈ કે જે સ્મૃતિઓ પૂર્વાનુભવને અનુસરે છે તે જ પ્રમાણ છે, અનુભવની બહારની સ્મૃતિઓ પ્રમાણ હોઈ શકતી નથી, અર્થાત સ્મૃતિઓ સત્ય હોવા છતાં પણ અનુભવની પ્રમાણતાના બળ ઉપર જ અવિસંવાદિની સિદ્ધ થઈ શકે છે, પોતાના બળ ઉપર નહિ.
ભટ્ટ જયંતે સ્મૃતિની અપ્રમાણતાનું કારણ ગૃહીતગ્રાહિત્વ ન બતાવીને તેનું અર્થથી ઉત્પન્ન ન થવું એ બતાવ્યું છે, પરંતુ જ્યારે અર્થની જ્ઞાનમાત્ર પ્રતિ કારણતા જ સિદ્ધ નથી ત્યારે અર્થજન્યત્વને પ્રમાણતાનો આધાર બનાવી ન શકાય. પ્રમાણતાનો આધાર તો અવિસંવાદ જ હોઈ શકે છે. ગૃહીતગ્રાહી જ્ઞાન પણ જો પોતાના વિષયમાં અવિસંવાદી હોય તો તેની પ્રમાણતા સુરક્ષિત છે. જો અર્થજન્યત્વના અભાવમાં સ્મૃતિ અપ્રમાણ હોય તો અતીત અને અનાગતને વિષય કરનાર અનુમાન પણ પ્રમાણ ન હોઈ શકે. જૈનો સિવાય કોઈ પણ વાદીએ સ્મૃતિને સ્વતન્ત્ર પ્રમાણ માની નથી. જ્યારે જગતનો સમસ્ત વ્યવહાર સ્મૃતિની પ્રમાણતા અને અવિસંવાદ પર જ ચાલી રહ્યો છે ત્યારે તેઓ તેને અપ્રમાણ કહેવાનું સાહસ ૧. ન મૃતરમાણપૃહીતગ્રાહિત કૃતમ્ .
નિર્થ ન્યત્વે તપ્રામાયણમ્ II ન્યાયમંજરી, પૃ.૨૩.