________________
(૨)
પ્રમાણમીમાંસા
૨૬૩ અનુપલબ્ધ છે. જો કે અહીં ઘટાભાવનું જ્ઞાન પ્રત્યક્ષથી જ થઈ જાય છે. પરંતુ જે વ્યક્તિ અભાવવ્યવહાર કરવા ઇચ્છતી નથી તેને અભાવવ્યવહાર કરાવવામાં તેની સાર્થકતા છે.
અવિરુદ્ધવ્યાપકાનુપલબ્ધિ- અહીં શીશમ નથી કેમ કે અહીં વૃક્ષ ઉપલબ્ધ નથી. (૩) અવિરુદ્ધકાર્યાનુપલબ્ધિ - અહીં અપ્રતિબદ્ધ શક્તિવાળો અગ્નિ નથી, કેમ કે
અહીં ધુમાડો ઉપલબ્ધ નથી. જો કે સામાન્ય રીતે કાર્યાભાવથી કારણાભાવ થતો નથી પરંતુ એવા કારણના અભાવથી કાર્યનો અભાવ અવશ્ય કરી શકાય છે જે નિયમથી કાર્યનું ઉત્પાદક હોય. અવિરુદ્ધકારણાનુપલબ્ધિ-અહીંધુમાડો નથી, કેમ કે અહીંઅગ્નિ ઉપલબ્ધ નથી. અવિરુદ્ધપૂર્વચરાનુપલબ્ધિ - એક મુહૂર્ત પછી રોહિણીનો ઉદય નહિ થાય, કેમ કે અત્યારે કૃત્તિકાનો ઉદય નથી. અવિરુદ્ધોત્તરચરાનુપલબ્ધિ - એક મુહૂર્ત પહેલાં ભરણીનો ઉદય થયો નથી,
કેમ કે અત્યારે કૃત્તિકાનો ઉદય નથી. (૭) અવિરુદ્ધસહચરાનુપલબ્ધિ - આ સમત્રાજવાનું એક પલ્લું નીચું નથી, કેમ કે
તેનું બીજું પલ્લું ઊંચું નથી. વિધિસાધક ત્રણ વિરુદ્ધાનુપલબ્ધિઓ(૧) વિરુદ્ધકર્યાનુપલબ્ધિ - આ પ્રાણીમાં કોઈ વ્યાધિ છે, કેમ કે તેની ચેષ્ટાઓ
નીરોગી વ્યક્તિની નથી. વિરુદ્ધકારણાનુપલબ્ધિ - આ પ્રાણીમાં દુઃખ છે કેમ કે ઈષ્ટસંયોગ
દેખાતો નથી. (૩) વિરુદ્ધસ્વભાવાનુપલબ્ધિ - વસ્તુ અનેકાન્તાત્મક છે, કેમ કે એકાન્ત સ્વરૂપ
ઉપલબ્ધ થતું નથી.
આ અનુપલબ્ધિઓમાં સાધ્યનાં વિરોધી કાર્ય, કારણ આદિની અનુપલબ્ધિ દર્શાવવામાં આવી છે. હેતુઓનું આવર્ગીકરણ પરીક્ષામુખના આધારે કરવામાં આવેલ છે.
વાદિદેવસૂરિએ પ્રમાણનયતત્ત્વાલકાલંકારમાં (૩.૬૪-) વિધિસાધક ત્રણ અનુપલબ્ધિઓના સ્થાને પાંચ અનુપલબ્ધિઓ દર્શાવી છે તથા નિષેધસાધક છ અનુપલબ્ધિઓના સ્થાને સાત અનુપલબ્ધિઓ ગણાવી છે. આચાર્ય વિદ્યાન વૈશેષિકોના અભૂત-ભૂતાદિ ત્રણ પ્રકારોમાં “અભૂત અભૂતનો આ એક પ્રકાર ૧. પરીક્ષામુખ, ૩.૮૧-૮૪. ૨. પ્રમાણપરીક્ષા, પૃ. ૭૨-૭૪.