________________
૨૬૨
જૈનદર્શન (૧) અવિરુદ્ધવ્યાપ્યોપલબ્ધિ - શબ્દ પરિણામી છે, કેમ કે તે કૃતક છે. (૨) અવિરુદ્ધ કાર્યોપલબ્ધિ - આ પ્રાણીમાં બુદ્ધિ છે, કેમ કે વચન આદિ જોવામાં
આવે છે. (૩) અવિરુદ્ધકારણોપલબ્ધિ - અહીં છાયા છે, કેમ કે છત્ર છે.
અવિરુદ્ધપૂર્વચરોપલબ્ધિ - એક મુહૂર્ત પછી રાક્ટનો (રોહિણીનો) ઉદય થશે, કેમ કે અત્યારે કૃત્તિકાનો ઉદય થઈ રહ્યો છે. અવિરુદ્ધોત્તરચરોપલબ્ધિ – એક મુહૂર્ત પહેલાં ભરણીનો ઉદય થઈ ગયો છે કેમ કે અત્યારે કૃત્તિકાનો ઉદય થઈ રહ્યો છે. અવિરુદ્ધસહચરોપલબ્ધિ - આ બીજોરામાં રૂપ છે, કેમ કે તેમાં રસ મળે છે. આ છ અવિરુદ્ધોપલબ્ધિમાં અવિરુદ્ધવ્યાપકોલબ્ધિ ભેદ એટલા માટે નથી ગણાવ્યો કેમ કે વ્યાપક વ્યાખનું જ્ઞાન કરાવતો નથી કારણ કે વ્યાપક વ્યાપ્યના અભાવમાં પણ મળે છે. પ્રતિષેધને સિદ્ધ કરનારી છ વિરુદ્ધોપલબ્ધિઓ આ છે(૧) વિરુદ્ધવ્યાપ્યોપલબ્ધિ - અહીં શીત સ્પર્શ નથી, કેમ કે અહીં ઉષ્ણતા મળે છે. (૨) વિરુદ્ધકર્યોપલબ્ધિ - અહીં શીત સ્પર્શ નથી, કેમ કે અહીં ધુમાડો મળે છે. (૩) વિરુદ્ધકારણોપલબ્ધિ-આ પ્રાણીમાં સુખ નથી, કેમ કે તેના હૃદયમાં શલ્ય છે. (૪) વિરુદ્ધપૂર્વચરોપલબ્ધિ – એક મુહૂર્ત પછી રોહિણીનો ઉદય નહિ થાય, કેમ
કે અત્યારે રેવતીનો ઉદય થઈ રહ્યો છે. (૫) વિરુદ્ધોત્તરચરોપલબ્ધિ – એક મુહૂર્ત પહેલાં ભરણીનો ઉદય થયો ન હતો,
કેમ કે અત્યારે પુષ્યનો ઉદય થઈ રહ્યો છે. (૬) વિરુદ્ધસહચરોપલબ્ધિ - આ દીવાલમાં પેલી તરફના ભાગનો અભાવ નથી,
કેમ કે આ તરફનો ભાગ દેખાય છે.
આ છ ઉપલબ્ધિઓમાં પ્રતિષેધ સાધ્ય છે અને જેનો પ્રતિષેધ કરવામાં આવી રહ્યો છે તેનાથી વિરુદ્ધનાં વ્યાપ્ય, કાર્ય, કારણ આદિની ઉપલબ્ધિ વિવક્ષિત છે. ઉદાહરણાર્થ, વિરુદ્ધકારણોપલબ્ધિમાં સુખનો પ્રતિષેધ સાધ્ય છે, તો સુખનું વિરોધી દુઃખ થયું, તેનું કારણ હૃદયશલ્ય છે જેને હેતુ બનાવવામાં આવ્યો છે.
પ્રતિષેધસાધક સાત અવિરુદ્ધાનુપલબ્ધિઓ નીચે પ્રમાણે છે(૧) અવિરુદ્ધસ્વભાવાનુપલબ્ધિ - આ ભૂતલ પર ઘડો નથી, કેમ કે તે ૧. પરીક્ષામુખ, ૩.૬૬-૭૨. ૨. પરીક્ષામુખ, ૩.૭૩-૮૦