________________
પ્રમાણમીમાંસા
૨૫૧ પરંતુ ભૂત અને ભવિષ્યત તથા દેશાત્તરવર્તી શબ્દ વિકલ્પ યા પ્રતીતિથી સિદ્ધ છે અને સંપૂર્ણ શબ્દમાત્રને ધર્મી બનાવેલ છે, તેથી તે ઉભયસિદ્ધ છે.
પ્રમાણસિદ્ધ અને ઉભયસિદ્ધ ધર્મીમાં ઈચ્છાનુસાર કોઈ પણ ધર્મ સાધ્ય બનાવી શકાય છે.' વિકલ્પસિદ્ધ ધર્મીને પ્રતીતિસિદ્ધ, બુદ્ધિસિદ્ધ અને પ્રત્યયસિદ્ધ પણ કહેવામાં આવે છે. પરાર્થનુમાન
પરોપદેશથી થનારું સાધનથી સાધ્યનું જ્ઞાન પરાર્થાનુમાન છે. ઉદાહરણાર્થ, આ પર્વત અગ્નિવાળો છે, ધૂમવાળો હોવાથી યા ધૂમવાળો અન્યથા નથી હોઈ શકતો. આ વાક્યને સાંભળીને જે શ્રોતાએ અગ્નિ અને ધૂમની વ્યાપ્તિ ગ્રહણ કરેલી છે તેને વ્યાપ્તિનું સ્મરણ થતાં જે અગ્નિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે પરાથનુમાન છે. પરોપદેશરૂપ વચનોને તો પરાથનુમાન ઉપચારથી કહેવામાં આવે છે કેમ કે વચનો અચેતન છે, તેઓ જ્ઞાનરૂપ મુખ્ય પ્રમાણ હોઈ શકે નહિ. પરાર્થનુમાનના બે અવયવો
આ પરાથનુમાનના પ્રયોજક વાક્યના બે અવયવો છે – એક પ્રતિજ્ઞા અને બીજો હેતુ. ધર્મ અને ધર્મીના સમુદાયરૂપ પક્ષના વચનને પ્રતિજ્ઞા કહે છે, જેમ કે આ પર્વત અગ્નિવાળો છે. સાધ્ય સાથે અવિનાભાવ ધરાવતા સાધનના વચનને હેતુ કહે છે, જેમ કે “ધૂમવાળો હોવાથી, યા ધૂમવાળો અન્યથા ન હોઈ શકે. હેતુના આ બે પ્રયોગોમાં કોઈ અત્તર નથી. પહેલું કથન વિધિરૂપે છે અને બીજું નિષેધરૂપે છે. “અગ્નિ હોય તો જ ધૂમ હોય છે એનો જ અર્થ છે કે “અગ્નિના અભાવમાં ધૂમ હોતો નથી. બન્ને પ્રયોગોમાં અવિનાભાવી સાધનનું કથન છે. તેથી તે બે પ્રયોગોમાંથી કોઈ એકનો પ્રયોગ કરવો જોઈએ.'
પક્ષ અને પ્રતિજ્ઞા તથા સાધન અને હેતુમાં વાચ્ય અને વાચકનો ભેદ છે. પક્ષ અને સાધન વાચ્ય છે તથા પ્રતિજ્ઞા અને હેતુ તેમના વાચક શબ્દો છે. વ્યુત્પન્ન શ્રોતાને પ્રતિજ્ઞા અને હેતુરૂપ પરોપદેશથી જ પરાર્થાનુમાન ઉત્પન્ન થઈ જાય છે. ૧. પરીક્ષામુખ, ૩.૨૫. ૨. પાર્થ તુ તર્થપરામવિશ્વના જ્ઞાતિમ્ | પરીક્ષામુખ, ૩.૫૦. ૩. દેતો તથોપVર્ચ વ ચત પ્રયોગન્યથાપિ વા |
દ્વિવિડજતોળાઈ સાધ્યસિદ્ધિર્મવેરિતિ | ન્યાયાવતાર, શ્લોક ૧૭.