________________
પ્રમાણમીમાંસા
૨૫૭ ગોરા પુત્રોમાં નથી એટલે સામાન્યતઃ વિપક્ષવ્યાવૃત્તિ પણ છે. મિત્રાપુત્રના શ્યામતમાં કોઈ બાધા નથી અને સમાનબળવાળો કોઈ પ્રતિપક્ષી હેતુ નથી. આમ આ મિત્રાપુત્રત્વ હેતુમાં ત્રરૂપ્ય અને પાંચરૂપ્ય હોવા છતાં પણ સત્યતા નથી કેમ કે મિત્રાપુત્રત્વનો શ્યામત્વની સાથે કોઈ અવિનાભાવ નથી. અવિનાભાવ એટલા માટે નથી કેમ કે મિત્રાપુત્રત્વ હેતુનો શ્યામ સાધ્ય સાથે સહભાવનિયમ યા ક્રમભાવનિયમ નથી. શ્યામત્વનું કારણ છે તેના ઉત્પાદક નામકર્મનો ઉદય અને મિત્રાએ ગર્ભાવસ્થામાં લીલાં શાકભાજી આદિ ખાવાં. તેથી જ્યારે મિત્રાપુત્રત્વનો
યામત્વ સાથે કોઈ નિમિત્તક અવિનાભાવ નથી અને વિપક્ષભૂત ગૌરત્વની પણ ત્યાં સંભાવના કરી શકાય છે ત્યારે તે સદ્ધતુ ન હોઈ શકે, પરંતુ ત્રરૂપ્ય અને પાંચરૂપ્ય તો તેમાં અવશ્ય મળે છે. કૃત્તિકોદય આદિમાં તો ઐરૂપ્ય અને પાંચરૂપ્ય ન હોવા છતાં પણ અવિનાભાવ હોવાના કારણે સદ્ધતુતા છે. તેથી અવિનાભાવ જ એક માત્ર હેતુનું સ્વરૂપ હોઈ શકે છે, ઐરૂપ્ય આદિ નહિ. આ આશયનો એક પ્રાચીન શ્લોક મળે છે જેને અકલંકદેવે ન્યાયવિનિશ્ચયમાં (શ્લોક ૩૨૩) સામેલ કર્યો છે. તત્ત્વસંગ્રહપંચિકા અનુસાર આ શ્લોક પાત્રસ્વામીનો છે. આ રહ્યો એ શ્લોક –
अन्यथानुपपन्नत्वं यत्र तत्र त्रयेण किम् ? ।
नान्यथानुपपन्नत्वं यत्र तत्र त्रयेण किम् ? ॥ અર્થાત્ જ્યાં અન્યથાનુપપત્તિ યા અવિનાભાવ છે ત્યાં ત્રરૂપ્ય માનવાથી કોઈ લાભ નથી અને જ્યાં અન્યથાનુપપત્તિ નથી ત્યાં બૈરૂધ્યને માનવું પણ વ્યર્થ છે.
આચાર્ય વિદ્યાનન્દ આની જ છાયાથી પાંચરૂષ્યનું ખંડન કરતો નિમ્નલિખિત શ્લોક રચ્યો છે –
अन्यथानुपपन्नत्वं यत्र किं तत्र पञ्चमि: ? ।
ના થાનુપન્નવં યત્ર જિં તત્ર પશ્ચમિ ? તે પ્રમાણપરીક્ષા, પૃ.૭૨ અર્થાત જ્યાં (કૃત્તિકોદય આદિ હેતુઓમાં) અન્યથાનુપપન્નત્વ એટલે કે અવિનાભાવ છે ત્યાં પંચરૂપ ન પણ હોય તો પણ કંઈ હાનિ નથી, તેમને માનવાથી શો લાભ ? અને જ્યાં (મિત્રાતનયત્વ આદિ હેતુઓમાં) પંચરૂપ છે પણ અન્યથાનુપપન્નત્વ નથી ત્યાં પચરૂપ માનવાથી શું? તે વ્યર્થ છે.
હેતુબિટીકામાં આ પાંચ રૂપો ઉપરાંત છઠ્ઠા “જ્ઞાતત્વ' સ્વરૂપને માનનારના મતનો ઉલ્લેખ મળે છે. આ ઉલ્લેખ સામાન્ય રીતે તૈયાયિક અને મીમાંસકનું નામ ૧. અન્યવેત્યાદ્રિના પત્રચમિમતHશ તત્ત્વસંગ્રહપજિક, શ્લોક ૧૩૬૪.