________________
પ્રમાણમીમાંસા
૨૪૧ નૈયાયિકો પણ મીમાંસકોની જેમ “ ઇવયમ્ (આ તે જ છે) એ પ્રતીતિને એક જ્ઞાન માનીને પણ તેને ઈન્દ્રિયજન્ય જ કહે છે અને યુક્તિ પણ તે જ દે છે.' પરંતુ જ્યારે ઇન્દ્રિયપ્રત્યક્ષ અવિચારક છે ત્યારે સ્મરણની સહાયતા લઈને પણ તે કેવી રીતે “આ તે જ છે” “આ તેના સમાન છે' ઇત્યાદિ વિચાર કરી શકે ? જયન્ત ભટ્ટ એટલા માટે આ કલ્પના કરે છે કે સ્મરણ અને પ્રત્યક્ષ પછી એક સ્વતન્ન માનસ જ્ઞાન ઉત્પન્ન થાય છે જે એકવાદિનું સંકલન કરે છે. આ ઉચિત છે, પરંતુ તેને સ્વતંત્ર પ્રમાણ માનવું જ જોઈશે. જૈન આ માનસ સંકલનને પ્રત્યભિજ્ઞાન કહે છે. તે અબાધિત છે. અવિસંવાદી છે અને સમારોપનું વ્યવચ્છેદક છે, તેથી જ પ્રમાણ છે. જે પ્રત્યભિજ્ઞાન બાધિત તથા વિસંવાદી હોય તેને પ્રમાણાભાસ યા અપ્રમાણ કહેવાનો માર્ગ ખુલ્લો છે. મીમાંસકનું ઉપમાન સાદડ્યુપ્રત્યભિજ્ઞાન છે
મીમાંસક સાશ્યપ્રત્યભિજ્ઞાનને ઉપમાન નામનું સ્વતંત્ર પ્રમાણ માને છે. તેમનું કહેવું છે કે જે પુરુષે ગાયને જોઈ છે તે જ્યારે જંગલમાં જાય છે અને ગવયને દેખે છે ત્યારે તેને પૂર્વદષ્ટ ગાયનું સ્મરણ થતાં “આના જેવી તે છે એ આકારનું ઉપમાનજ્ઞાન પેદા થાય છે. જો કે ગવયનિષ્ઠ સાદગ્ય પ્રત્યક્ષનો વિષય બની રહ્યું છે અને ગોનિષ્ઠ સાદશ્યનું સ્મરણ થઈ રહ્યું છે તેમ છતાં પણ “આના જેવી તે છે એ આકારનું વિશિષ્ટ જ્ઞાન કરવા માટે સ્વત ઉપમાન પ્રમાણની આવશ્યકતા છે.' પરંતુ જો આ રીતે સાધારણ વિષયભેદના કારણે પ્રમાણોની સંખ્યા વધારવામાં આવે તો “ગાયથી વિલક્ષણ ભેંસ છે' આ વૈલક્ષવિષયક પ્રત્યભિજ્ઞાનને તથા “આ આનાથી દૂર છે “આ આનાથી નજીક છે', “આ આનાથી ઊંચો છે”, આ આનાથી નીચો છે” ઇત્યાદિ આપેક્ષિક જ્ઞાનોને પણ સ્વતંત્ર પ્રમાણો માનવાં પડે. વૈલક્ષણ્યને સાદગ્ધાભાવ કહીને અભાવપ્રમાણનો વિષય બનાવી શકાય નહિ, અન્યથા સાદશ્યને પણ વૈલક્ષણ્યાભાવરૂપ હોવાની તથા અભાવપ્રમાણનો વિષય હોવાની આપત્તિ આવશે. તેથી એકત્વ, સાદગ્ધ, પ્રાતિયોગિક, અપેક્ષિક આદિ બધાં સંકલનજ્ઞાનોને એક પ્રત્યભિજ્ઞાનની સીમામાં જ રાખવાં જોઈએ.
૧. જુઓ ન્યાયવાર્તિકતાત્પર્યટીકા, પૃ.૧૩૯. ૨. ન્યાયમંજરી, પૃ.૪૬૧. 3. प्रत्यक्षेणावबुद्धेऽपि सादृश्ये गवि च स्मृते ।
વિશિષ્ટાન્યત: સિદ્ધરૂપમાનBMIT | મીમાંસાશ્લોકવાર્તિક, ઉપમાન, શ્લોક ૩૮.