________________
૨૪૮
જૈનદર્શન નિશ્ચય. અનિશ્ચિત સાધન કેવળ પોતાના સ્વરૂપથી યા પોતાની યોગ્યતાથી જ સાધ્યજ્ઞાન કરાવી શકતું નથી, તેથી તેનો સાધ્ય સાથે અવિનાભાવ નિશ્ચિત જ હોવો જોઈએ. આ નિશ્ચય અનુમિતિ વખતે અપેક્ષિત છે. અજ્ઞાયમાન ધૂમ તો અગ્નિનું જ્ઞાન કરાવી શકતો નથી જ, અન્યથા સુખ અને મૂછિત આદિને યા જેમણે આજ સુધી ધૂમનું જ્ઞાન કર્યું જ નથી તેમને બધાને પણ અગ્નિજ્ઞાન થઈ જવું જોઈએ. અવિનાભાવ તાદાભ્ય અને તંદુત્પત્તિથી નિયત્રિત નથી
અવિનાભાવ જ અનુમાનની મૂળ ધુરા છે. સહભાવનિયમ અને ક્રમભાવનિયમને અવિનાભાવ કહે છે.' સહભાવી રૂપ, રસ આદિ તથા વૃક્ષ અને શિશપા આદિ વ્યાપ્ય-વ્યાપકભૂત પદાર્થોમાં સહભાવનિયમ હોય છે. નિયત પૂર્વવર્તી અને ઉત્તરવર્તી કૃત્તિકોદય અને શક્ટિોદયમાં તથા કાર્યકારણભૂત અગ્નિ અને ધૂમ આદિમાં ક્રમભાવનિયમ હોય છે. અવિનાભાવને કેવળ તાદાત્મ અને તદુત્પત્તિ(કાર્યકારણભાવ)થી જ નિયત્રિત કરી શકાય નહિ. જેમનામાં પરસ્પર તાદાભ્ય નથી એવા રૂપથી રસનું અનુમાન થાય છે તથા જેમનામાં પરસ્પર કાર્યકારણસંબંધ નથી એવા કૃત્તિકોદયને જોઈને એક મુહૂર્ત પછી થનારા શકટોદયનું અનુમાન કરવામાં આવે છે. તાત્પર્ય એ કે જેમનામાં પરસ્પર તાદાત્મસંબંધ કે તદુત્પત્તિસંબધ નથી તે પદાર્થોમાં પણ નિયત સહભાવ કે નિયત પૂર્વોત્તરભાવ અર્થાત્ ક્રમભાવ હોતાં અનુમાન થઈ શકે છે. તેથી અવિનાભાવ તાદાભ્ય અને તદુત્પત્તિ સુધી જ સીમિત નથી.
સાધન
જેનો સાધ્ય સાથે અવિનાભાવ નિશ્ચિત છે તેને સાધન કહેવામાં આવે છે. અવિનાભાવ, અન્યથાનુપપત્તિ, વ્યાપ્તિ આ બધા શબ્દો એનાર્થક છે અને “અન્યથાનુપપત્તિરૂપે નિશ્ચિત હોવું' એ જ એકમાત્ર સાધનનું લક્ષણ હોઈ શકે છે.'
સાધ્ય * શક્ય, અભિપ્રેત અને અપ્રસિદ્ધ સાધ્ય કહે છે. પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી
૧. સ માવેનિયમો વિનામાવ: | પરીક્ષામુખ, ૩.૧૬, ૨. અન્યથાનુપિન્નત્વ હોર્નક્ષણપીરિતમ્ | ન્યાયાવતાર, શ્લોક ૨૨.
સાધનં પ્રવૃતીમાવેડનુપપન્નત્વમ્ ! પ્રમાણસંગ્રહ, પૃ. ૧૦૨. ૩. સાધ્યું મિમિપ્રેતમપ્રસિદ્ધમ્ | ન્યાયવિનિશ્ચય, શ્લોક ૧૭૨.