________________
૧૩૨
જૈનદર્શન બાકી મૂદુ, કર્કશ, ગુરુ અને લઘુ આ ચાર સ્પર્શે તો સ્કન્ધાવસ્થાના છે, તેઓ પરમાણુઅવસ્થામાં નથી હોતા. પરમાણુ એકપ્રદેશી હોય છે. પરમાણુ સ્કન્ધનું કારણ પણ છે અને સ્કન્ધોના ભેદથી ઉત્પન્ન થવાના કારણે સ્કન્ધોનું કાર્ય પણ છે. પુદ્ગલની પરમાણુઅવસ્થા એ પુદ્ગલનો સ્વાભાવિક પર્યાય છે અને સ્કન્ધાવસ્થા એ પુદ્ગલનો વિભાવ પર્યાય છે. સ્કન્ધોના ભેદો
સ્કન્ધો પોતાનાં પરિણમનોની અપેક્ષાએ છ પ્રકારના હોય છે (૧) અતિશૂલસ્થૂલ (બાદરબાર) જે સ્કન્ધ છિન્નભિન્ન થાય પછી ફરી પાછો
ભેગો ન થઈ શકે તે સ્કન્ધ અતિ સ્થૂલસ્થૂલ છે, જેમ કે લાકડીનો,
પથ્થરનો, પર્વતનો, પૃથ્વીનો સ્કન્ધ, આદિ. (૨) સ્થૂલ (બાદર): જે સ્કન્ધ છિન્નભિન્ન થયા પછી ફરી પાછો સ્વયં ભેગો
થઈ જાય છે તે સ્થૂલ સ્કન્ધ છે, જેમ કે દૂધનો, ઘીનો, તેલનો, પાણીનો
સ્કન્ધ, આદિ. (૩) સ્થૂલસૂક્ષ્મ (બાદરસૂક્ષ્મ): જે સ્કન્ધ દેખાય છે તો સ્થૂલ પરંતુ જેનું છેદન,
ભેદન કે ગ્રહણ કરાતું નથી તે સ્કન્ધ સ્થૂલસૂક્ષ્મ છે, જેમ કે છાયાનો, પ્રકાશનો, અન્ધકારનો, ચાંદનીનો સ્કન્ધ આદિ. સૂક્ષ્મણૂલ (સૂક્ષ્મબાદર) જે સ્કન્ધો સૂક્ષ્મ હોવા છતાં સ્થૂળ રૂપમાં દેખાય તે પાંચે ઈન્દ્રિયોના વિષયો સ્પર્શ, રસ, ગન્ધ, વર્ણ અને શબ્દ સૂક્ષ્મણૂલ
સ્કન્ધો છે. (૫) સૂક્ષ્મઃ જે સ્કન્ધ સૂક્ષ્મ હોવાના કારણે ઇન્દ્રિયો વડે ગ્રહણ કરી શકાતો નથી
તે સ્કન્ધ સૂક્ષ્મ છે, જેમ કે કર્મવર્ગણા આદિ. (૬) અતિસૂક્ષ્મઃ કર્મવર્ગણાથી પણ નાના દ્યણુક સ્કન્ધ સુધી સૂક્ષ્મસૂક્ષ્મ છે.
પરમાણુ પરમાતિસૂક્ષ્મ છે. તે અવિભાગી છે. શબ્દનું કારણ હોવા છતાં પણ અશબ્દ છે, શાશ્વત હોવા છતાં પણ ઉત્પાદ અને વ્યયવાળો છે અર્થાત્ ત્રયાત્મક પરિણમન કરવાવાળો છે.
१. अइथूलथूलं थूलं थूलसुहुमं च सुहुमथूलं च ।
સુH માજુમ તિ ઘાવિ દો અમે I નિયમસાર ગાથા ૨૧.