________________
૧૫૮
જૈનદર્શન અને જવ બન્ને બીજોના પરમાણુઓમાં બધાં અંકુરોને પેદા કરવાની સમાનરૂપે છે, પરંતુ તત્પર્યાયયોગ્યતા ઘઉંના બીજમાં ઘઉના અંકુરને જ ઉત્પન્ન કરવાની છે તથા જવના બીજમાં જવના અંકુરને જ ઉત્પન્ન કરવાની છે. તેથી ભિન્ન ભિન્ન કાર્યોની ઉત્પત્તિ માટે ભિન્ન ભિન્ન ઉપાદાનોનું ગ્રહણ થાય છે. ધર્મકીર્તિના આક્ષેપનું સમાધાન
તેથી બૌદ્ધોએ બતાવેલું દૂષણ કે “દહીંને ખાઓ એમ કહેવામાં આવતાં વ્યક્તિ ઊંટને ખાવા કેમ નથી દોડતી ?, કેમ કે દહીં અને ઊંટના પુદ્ગલોમાં પગલદ્રવ્યરૂપે તો કોઈ ભેદ નથી” ઉચિત જણાતું નથી, કેમ કે જગતનો વ્યવહાર માત્ર દ્રવ્યયોગ્યતાથી ચાલતો નથી પરંતુ તત્પર્યાયયોગ્યતાથી ચાલે છે. ઊંટના શરીરનાં પુલો અને દહીંનાં પુદ્ગલ દ્રવ્યરૂપે સમાન હોવા છતાં પણ એક નથી અને તેઓ સ્થૂલ પર્યાયરૂપે પણ પોતાનો પરસ્પર ભેદ ધરાવે છે તથા તેમની તત્પર્યાયયોગ્યતાઓ પણ જુદી જુદી છે, એટલે દહીં જ ખવાય છે, ઊંટનું શરીર ખવાતું નથી. સાંખ્યના મતમાં આ સમાધાન શક્ય નથી કેમ કે જ્યારે એક જ પ્રધાન દહીં અને ઊંટ બન્ને રૂપે વિકસ્યું છે ત્યારે તેમના ભેદનું નિયામકશું? એક જ તત્ત્વમાં એક જ સમયે વિભિન્ન દેશોમાં વિભિન્ન પ્રકારનાં પરિણમનો ન થઈ શકે. તેવી જ રીતે જો ઘટ અવયવી અને તેના ઉત્પાદક માટીના પરમાણુ પરસ્પર સર્વથા વિભિન્ન હોય (જે માન્યતા નૈયાયિકની છે), તો શું નિયામક છે કે ઘડો ત્યાં જ (માટીના પરમાણુમાં જ) ઉત્પન્ન થાય, અન્યત્ર ન થાય? પ્રતિનિયત કાર્યકારણની વ્યવસ્થા માટે કારણમાં યોગ્યતા યા શક્તિરૂપે કાર્યનો સદ્ભાવ માનવો આવશ્યક છે, અર્થાત્ કારણમાં કાર્યોત્પાદનની યોગ્યતા યા શક્તિ હોવી જ જોઈએ. યોગ્યતા, શક્તિ અને સામર્થ્ય આદિ એકજાતીય મૂલદ્રવ્યોમાં સમાન હોવા છતાં પણ વિભિન્ન અવસ્થાઓમાં તેમની સીમા નિયત થઈ જાય છે અને આ નિયતતાના કારણે જગતમાં અનેક પ્રકારના કાર્યકારણભાવો બને છે. આ તો થઈ અનેક પુદ્ગલદ્રવ્યોના સંયુક્ત સ્કન્ધની વાત.
એક દ્રવ્યની પોતાની ક્રમિક અવસ્થાઓમાં અમુક ઉત્તર પર્યાયનું ઉત્પન્ન થવું એ કેવળ દ્રવ્યયોગ્યતા. ઉપર જ આધાર રાખતું નથી પરંતુ કારણભૂત પર્યાયની તત્પર્યાયયોગ્યતા ઉપર પણ આંધાર રાખે છે. પ્રત્યેક દ્રવ્ય પ્રતિક્ષણ સ્વભાવતઃ * ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપે પરિણામી હોવાના કારણે સઘળી વ્યવસ્થાઓ સદસત્કાર્યવાદના ૧. સર્વચમિયત્વે તદ્વિશેષાનિરાતે |
વોદિતો ય વાતિ વિમુદ્દે નામાવતિ / પ્રમાણવાર્તિક ૩.૧૮૧.