________________
૨૦૨
જૈનદર્શન સમગ્ર વસ્તુને અખંડરૂપે ગ્રહણ કરે છે. પ્રમાણ ભલે કોઈ એક ગુણ દ્વારા પદાર્થને જાણવાનો ઉપક્રમ કરે પરંતુ તે ગુણ દ્વારા તે સંપૂર્ણ વસ્તુને જ ગ્રહણ કરે છે. આંખ દ્વારા જોવામાં આવતી વસ્તુ જો કે રૂપમુખે જોવામાં આવે છે પરંતુ પ્રમાણજ્ઞાન રૂપ દ્વારા પૂરી વસ્તુને જ સમગ્રભાવે જાણે છે. તેથી પ્રમાણને સક્લાદેશી કહે છે. તે હર હાલતમાં સજ્જ વસ્તુનું જ ગ્રાહક બને છે. તેમાં ગૌણ-મુખ્યભાવ એટલો જ છે કે તે ભિન્ન ભિન્ન સમયોમાં અમુક અમુક ઈન્દ્રિયોના ગ્રાહ્ય વિભિન્ન ગુણો દ્વારા પૂરી વસ્તુને જાણવાનો પ્રયાસ કરે છે. જે ગુણ જે સમયે ઇન્દ્રિયજ્ઞાનનો વિષય બને છે તે ગુણની મુખ્યતા એટલી જ છે કે તેના દ્વારા પૂરી વસ્તુ ગૃહીત થઈ રહી છે. એનો અર્થ એ નથી કે તેનામાં રૂપ મુખ્ય હો અને રસ આદિ ગૌણ પરંતુ એનો અર્થ એટલો જ છે કે રૂપના છેડેથી સમસ્ત વસ્તુપટ જોવામાં આવી રહ્યો છે. એથી ઊલટું નયમાં રૂપ મુખ્ય હોય છે અને રસ આદિ ગૌણ. નયમાં તે જ ધર્મ પ્રધાન બનીને અનુભવનો વિષય બને છે કે જેની વિવફા યા અપેક્ષા હોય છે. નય તો પ્રમાણ દ્વારા ગૃહીત સમસ્ત અને અખંડ વસ્તુને ખડ ખડ કરીને તેના એક એક દેશને મુખ્યપણે ગ્રહણ કરે છે. પ્રમાણ ઘટને “ઘોડય'ના રૂપમાં આખે આખો જાણે છે જ્યારે નય કg :' કહીને ઘડાને કેવળ રૂપની દષ્ટિએ દેખે છે. રૂપવાન પર:' આ પ્રયોગમાં જો કે એક રૂપ ગુણની પ્રધાનતા જણાય છે પરંતુ આ વાક્યમાં રૂપ દ્વારા પૂરા ઘટને જાણવાનો આશય હોય તો આ વાક્ય સકલાદેશી છે અને જો કેવળ ઘટના રૂપને જ જાણવાનો આશય હોય તો તે માત્ર રૂપગ્રાહી હોવાથી વિકલાદેશી બની જાય છે.
વિભિન્ન લક્ષણ
આમ સામાન્યપણે જૈન પરંપરામાં જ્ઞાનને જ પ્રમાનું કરણ માન્યું છે. તે પ્રમાણજ્ઞાન સંપૂર્ણ વસ્તુને ગ્રહણ કરે છે. તેમાં જ્ઞાનસામાન્યનો સ્વસંવેદિત્વ ધર્મ પણ હોય છે. પ્રમાણ હોવાથી તેણે અવિસંવાદી પણ અવશ્ય જ હોવું જોઈએ. વિસંવાદ એટલે સંશય, વિપર્યય અને અનધ્યવસાય. આ ત્રણે વિસંવાદોથી રહિત
અવિસંવાદી સમ્યજ્ઞાન પ્રમાણ હોય છે. આચાર્ય સમન્તભદ્ર અને સિદ્ધસેનનાં પ્રમાણલક્ષણોમાં “સ્વપરાવભાસક પદ પ્રયુક્ત થયું છે. સમન્તભ તે તત્ત્વજ્ઞાનને પણ પ્રમાણ કહેલ છે જે એક સાથે સર્વનું અવભાસક હોય છે. આ લક્ષણમાં કેવળ ૧. તથા વવત્ત સનાદેશ: માથીન: I સર્વાર્થસિદ્ધિ, ૧.૬. ૨. સ્વપરીવમાસનં યથા પ્રમાાં મુવિ વૃદ્ધિતક્ષણમ્ બૃહસ્વયંભૂસ્તોત્ર, શ્લોક ૬૩. ૩. પ્રમા સ્વપમાનિ જ્ઞાન વાવિવર્ણિતમ્ | ન્યાયાવતાર, શ્લોક ૧. ૪. તત્વજ્ઞાન પ્રમાણે તે યુપ( સર્વમાન્ ! આપ્તમીમાંસા, શ્લોક ૧૦૧.